2024 Election News: 2024ની ચૂંટણી પહેલા મોદી સરકારનું મોટું પગલું, વિશેષ સત્રમાં લાવી શકે છે એક દેશ એક ચૂંટણી બિલ

|

Aug 31, 2023 | 7:16 PM

આ વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આગામી વર્ષના મધ્યમાં લોકસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. એક રાષ્ટ્ર-એક ચૂંટણીનો વિચાર ઓછામાં ઓછા 1983 થી અસ્તિત્વમાં છે, જ્યારે ચૂંટણી પંચે તેને પ્રથમ વખત રજૂ કર્યો હતો. જો કે, 1967 સુધી ભારતમાં એક સાથે ચૂંટણી સામાન્ય હતી.જો કે, આ ચક્ર 1968 અને 1969 માં કેટલીક એસેમ્બલીઓના અકાળ વિસર્જનને કારણે વિક્ષેપિત થયું હતું.

2024 Election News: 2024ની ચૂંટણી પહેલા મોદી સરકારનું મોટું પગલું, વિશેષ સત્રમાં લાવી શકે છે એક દેશ એક ચૂંટણી બિલ
Big step of Modi government before 2024 election (File)

Follow us on

કેન્દ્રની મોદી સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સંસદના આ સત્રમાં એક દેશ, એક ચૂંટણીનું બિલ લાવી શકે છે. જો કે, એક દેશ, એક ચૂંટણી માટે કલમ 83, 85, 172, 174 અને 356માં સુધારા કરવા પડશે. પીએમ મોદી વિધાનસભા અને સામાન્ય ચૂંટણીઓ એકસાથે કરાવવાના વિચાર પર જોર આપી રહ્યા છે. તેમની દલીલ છે કે આ પગલાથી ચૂંટણી કરાવવાનો ખર્ચ ઘટશે અને શાસન માટેનો સમય પણ બચશે.

આ વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આગામી વર્ષના મધ્યમાં લોકસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. એક રાષ્ટ્ર-એક ચૂંટણીનો વિચાર ઓછામાં ઓછા 1983 થી અસ્તિત્વમાં છે, જ્યારે ચૂંટણી પંચે તેને પ્રથમ વખત રજૂ કર્યો હતો.

જો કે, 1967 સુધી ભારતમાં એક સાથે ચૂંટણી સામાન્ય હતી.જો કે, આ ચક્ર 1968 અને 1969 માં કેટલીક એસેમ્બલીઓના અકાળ વિસર્જનને કારણે વિક્ષેપિત થયું હતું. 1970માં લોકસભાનું અકાળે વિસર્જન કરવામાં આવ્યું હતું અને 1971માં નવી ચૂંટણીઓ યોજાઈ હતી. આ રીતે પહેલી, બીજી અને ત્રીજી લોકસભાને પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ મળ્યો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વિશેષ સત્ર ક્યારે બોલાવવામાં આવ્યું હતું?

સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ સત્ર દરમિયાન સંસદીય કાર્ય નવા સંસદ ભવન ખાતે શિફ્ટ થઈ શકે છે. સામાન્ય રીતે સંસદના ત્રણ સત્ર હોય છે. જેમાં બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર સામેલ છે. ખાસ સંજોગોમાં સંસદનું વિશેષ સત્ર બોલાવી શકાય છે. સંસદનું ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું.

અગાઉ, સંસદનું વિશેષ સત્ર 30 જૂન 2017 ની મધ્યરાત્રિએ યોજાયું હતું, જે GSTના અમલીકરણના અવસર પર હતું. જો કે તે લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત સત્ર હતું. તે જ સમયે, ઓગસ્ટ 1997માં છ દિવસીય વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારતની આઝાદીની 50મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે હતું.

અગાઉ, ભારત છોડો ચળવળની 50મી વર્ષગાંઠ પર 9 ઓગસ્ટ 1992ના રોજ મધ્યરાત્રિનું સત્ર યોજાયું હતું. આ પ્રકારનું પ્રથમ વિશેષ મધ્યરાત્રિ સત્ર 14-15 ઓગસ્ટ 1972ના રોજ આઝાદીના રજત જયંતિ વર્ષમાં અને 14-15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ યોજાયું હતું.  જો કે હવે વિપક્ષો દ્વારા આ સત્રની તારીખને લઈને ઉભા કરવામાં આવી રહેલા સવાલો ટકે છે કે પછી તેનો છેદ ઉડે છે તો મહત્વનું બની રહેશે.

Next Article