Year Ender 2021: નારાયણ રાણેના નિવેદનને લીધે બબાલથી લઈને અનિલ દેશમુખના રાજીનામાં સુધીની રાજકીય ઘટનાઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં પાડ્યા પડઘા

|

Dec 28, 2021 | 7:30 AM

સરકાર બન્યા બાદ ઘણી એવી ઘટના બની છે જેણે સમગ્ર દેશમાં પડઘા પાડ્યા છે. વર્ષ 2021 દરમિયાન બનેલી આ રાજકીય ઘટનાઓએ મહારાષ્ટ્રમાં મોકાણ સર્જી હતી. એક નજર આ ઘટનાઓ તરફ

Year Ender 2021: નારાયણ રાણેના નિવેદનને લીધે બબાલથી લઈને અનિલ દેશમુખના રાજીનામાં સુધીની રાજકીય ઘટનાઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં પાડ્યા પડઘા
Major Political Event Of Maharashtra in 2021

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલ મહાવિકાસ અઘાડી સરકારનું શાસન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરીણામો પછી ભાજપ (BJP) અને શિવસેનાનું (Shiv Sena) ગઠબંધન તુટી ગયું હતું. ત્યારબાદ કોંગ્રેસ (Congress), શિવસેના અને એનસીપી (NCP) વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આગેવાની કરી રહ્યા છે. સરકાર બન્યા બાદ ઘણી એવી ઘટના બની છે જેણે સમગ્ર દેશમાં પડઘા પાડ્યા છે. વર્ષ 2021 દરમિયાન બનેલી આ રાજકીય ઘટનાઓએ મહારાષ્ટ્રમાં મોકાણ સર્જી હતી. એક નજર આ ઘટનાઓ તરફ….

 

1. ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું

તત્કાલીન મુંબઈ પોલીસ કમિશ્નરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ખૂબ ચોંકાવનારો દાવો કર્યો હતો કે એનસીપી નેતા અનિલ દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજેને શહેરના બાર, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓ પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું. આ દાવાથી મહારાષ્ટ્રનું રાજકારણ ખળભળી ઉઠ્યું હતું. ત્યારબાદ અનિલ દેશમુખે ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

2. સચિન વાજેની ધરપકડ

રાજ્યમાં વર્ષનો પ્રારંભ ફેબ્રુઆરીમાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની સનસનાટીભર્યા હત્યા સાથે થયો હતો, જેની કાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ નિવાસસ્થાન એન્ટિલિયાની સામે પાર્ક કરેલી મળી આવી હતી, જેમાં વિસ્ફોટકો અને ધમકીભર્યો પત્ર રાખેલો હતો. થોડા દિવસો પછી હિરેનનો મૃતદેહ થાણેની મુંબ્રા ખાડીમાંથી મળી આવ્યો હતો. આ કેસના સંબંધમાં ધરપકડ કરાયેલા લોકોમાં વાજે પણ સામેલ છે.

 

3. NCB, નવાબ મલિક અને ડ્રગ્સ કેસ

NCB દ્વારા ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન NCP મંત્રી નવાબ મલિકે NCB અધિકારી સમીર વાનખેડે પર અનેક આરોપો લગાવ્યા હતા. આર્યન પર માદક પદાર્થ લેવા અને તેનું વિતરણ કરવાનો આરોપ હતો.

 

જો કે એજન્સી કોર્ટમાં આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી અને આર્યનને 26 દિવસ જેલમાં વિતાવ્યા બાદ જામીન આપવામાં આવ્યા. મલિકે એનસીબીના ડિવિઝનલ ડિરેક્ટર વાનખેડે પર આર્યનનું ખંડણી માટે અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વાનખેડેએ અનુસૂચિત જાતિ અનામત હેઠળ નોકરી મેળવવા માટે નકલી જાતિ પ્રમાણપત્ર આપ્યું હતું.

 

4. નારાયણ રાણેના નિવેદન પર બબાલ

રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાવાળી તેમની ટિપ્પણીને લઈને વિવાદ સર્જ્યો હતો. રાણેએ કહ્યું હતું કે મુખ્યમંત્રીને આઝાદીનું વર્ષ ખબર નથી તે શરમજનક છે. તેઓ તેમના ભાષણ દરમિયાન તેમને આઝાદીના વર્ષોની ગણતરી વિશે પૂછવા માટે પાછળ ફર્યા હતા. જો હું ત્યાં હોત તો હું તેમને જોરદાર થપ્પડ મારી દેત. રાણેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્યમાં અનેક સ્થળોએ શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

 

5. અમિત શાહનો મોટો હુમલો

હવે જ્યારે વર્ષ તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 19 ડિસેમ્બરે પૂણેમાં રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારની સરખામણી ઓટો રિક્ષા સાથે કરી હતી. તેમણે કહ્યું કે ઓટો રિક્ષાના ત્રણ પૈડા (ત્રણ પાર્ટી) અલગ-અલગ દિશામાં હોય છે અને જો પંચર થઈ જાય તો તેઓ આગળ વધી શકતા નથી. શિવસેના પર પ્રહાર કરતા શાહે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી પર માત્ર મુખ્યમંત્રી બનવા માટે હિન્દુત્વ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો.

 

આ પણ વાંચો : કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા

Next Article