ફ્લોર ટેસ્ટ એટલે શુ ? કેવી રીતે નક્કી થશે મહારાષ્ટ્ર સરકારનુ ભાવિ ?

|

Jun 29, 2022 | 12:12 PM

મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેની સરકારને ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવા જણાવ્યુ છે. જ્યાં મહાવિકાસ અધાડીની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમની બહુમતી સાબિત કરવી પડશે. જો તેઓ હારી જશે તો શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે.

ફ્લોર ટેસ્ટ એટલે શુ ? કેવી રીતે નક્કી થશે મહારાષ્ટ્ર સરકારનુ ભાવિ ?
Eknath Shinde, Uddhav Thackeray, Devendra Fadnavis (file photo)

Follow us on

મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ એકદમ પ્રવાહી બની છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), દિલ્લીમાં હાઈકમાન્ડને મળ્યા બાદ, ગઈકાલ મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે દાવો કર્યો હતો કે, મહાવિકાસ અધાડીને સરકારે બહુમતી ગુમાવી દીધી છે. આથી સરકારે ફ્લોર ટેસ્ટ (Floor test)દ્વારા તેની બહુમતી સાબિત કરવી જોઈએ. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ, દેવેન્દ્ર ફડણવીસની રજૂઆતને ધ્યાને લઈને મહારાષ્ટ્ર સરકારને, 30મી જૂનના રોજ ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવા જણાવ્યુ છે. જો કે રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના આદેશને શિવસેનાએ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સમક્ષ એવો દાવો કર્યો હતો કે શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) – કોંગ્રેસ ગઠબંધન સરકાર લઘુમતીમાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શિવસેનાના 39 ધારાસભ્યો જેઓ એકનાથ શિંદે જૂથમાં છે. આ જૂથ હાલમાં ગુવાહાટીની એક હોટલમાં છુપાયેલા છે. એકનાથ શિંદે જૂથનુ કહ્યું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની સરકારને સમર્થન આપતા નથી.

આ તમામ સ્થિતિ બાદ, રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેની સરકારને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવા જણાવ્યુ છે ત્યારે આ જાણવુ જરૂરી છે કે, ફ્લોર ટેસ્ટ શું છે ? કેવી રીતે ફ્લોર ટેસ્ટ લેવાય છે ? જે ઉદ્ધવ ઠાકરે સરકારનું ભવિષ્ય નક્કી કરશે અને આગળ શું થઈ શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ફ્લોર ટેસ્ટ શા માટે

ખૂબ જ સરળ શબ્દોમાં જણાવીએ તો, ફ્લોર ટેસ્ટ એ એક એવી પ્રક્રીયા છે જેમાં તે સમયની સરકાર એ જાણવા માંગે છે કે શું તે હજુ પણ વિધાનસભામાં બહુમતી ધારાસભ્યોનો વિશ્વાસ ધરાવે છે કે નહીં. આનો ટુંકમાં અર્થ એ છે કે મુખ્ય પ્રધાનને વિધાનસભાના ફ્લોર પર તેમની બહુમતી સાબિત કરવા માટે કહેવામાં આવે છે.

જ્યારે સરકારની બહુમતી પર પ્રશ્ન કરવામાં આવે છે, ત્યારે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે અને બહુમતીનો દાવો કરનાર પક્ષના નેતાએ વિશ્વાસનો મત લેવો પડે છે. વિધાનસભા ગૃહમાં હાજર રહેલા અને મતદાન કરનારાઓ ધારાસભ્યોમાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવી પડે છે.

જો મુખ્ય પ્રધાન ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જાય, તો તેઓ હારી જાય છે અને રાજીનામું આપવું પડે છે. દાખલા તરીકે, ઉદ્ધવ ઠાકરેના કિસ્સામાં, 287 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતીનો આંકડો 144 છે. જ્યારે સંખ્યા કેવી રીતે ઉમેરાય છે તે વાત આવે છે, એકનાથ શિંદે એમવીએ સરકારથી અલગ થયા પહેલા પરિસ્થિતિ આ રીતે હતી: શિવસેના 55 સાથે, એનસીપી 53 સાથે અને કોંગ્રેસ 44 સાથે.

આમાંથી, એકનાથ શિંદે જે રીતે દાવો કરી રહ્યાં છે તે મુજબ 40 ધારાસભ્યોનું સમર્થન છે, જે શિવસેનાની ધારાસભ્યોની સંખ્યાને ઘટાડીને માત્ર 15 સુધી પહોંચાડે છે, જેનો અર્થ છે કે MVA ગઠબંધન હવે બહુમતીમા નથી.

ફ્લોર ટેસ્ટમાં કેવી રીતે કરાય છે મતદાન

બહુમતી સાબિત કરવા માટે ધારાસભ્યો અથવા સાંસદો (જો સંસદમાં ફ્લોર ટેસ્ટ બોલાવવામાં આવે છે) અલગ-અલગ રીતે તેમનો મત આપી શકે છે. ધ્વની મત, ડિવિઝન વોટ અને બેલેટ મતનો સમાવેશ થાય છે.

ધ્વની મતની પ્રક્રિયા હોય છે જેમાં ધારાસભ્યો મૌખિક રીતે જવાબ આપે છે. ડિવિઝન વોટ પણ છે જેમાં નેતા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્લિપ અથવા મતપેટીનો ઉપયોગ કરે છે. મતદાનની ત્રીજી પદ્ધતિ બેલેટ મત છે, જે સામાન્ય રીતે આ ગુપ્ત મતદાન છે.

રાજ્યપાલની ભૂમિકા

કાયદા મુજબ, રાજ્યપાલ બંધારણની કલમ 175(2) હેઠળ વિધાનસભા ગૃહને બોલાવી શકે છે અને બહુમતી સાબિત કરવા માટે રાજ્ય સરકારને ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે. જો વિધાનસભાનું સત્ર ચાલુ ના હોય, તો રાજ્યપાલ કલમ 163 હેઠળ તેમની વિશેષાધિકાર હેઠળ અધ્યક્ષને ફ્લોર ટેસ્ટ માટે બોલાવવા કહી શકે છે.

મહારાષ્ટ્રના કિસ્સામાં, વિધાનસભામાં અધ્યક્ષ ના હોવાથી, સમગ્ર ભૂમિકા ઉપાધ્યક્ષ નરહરિ જિરવાલને સોંપવામાં આવશે, જે એનસીપીના નેતા છે. જો એમવીએ ફ્લોર ટેસ્ટમાં બહુમતી ગુમાવે છે અને ત્યારબાદ એકનાથ શિંદે જૂથ ભાજપ સાથે દાવો કરે છે, તો રાજ્યપાલ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે અને પછી બહુમતી સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટ માટે કહી શકે છે.

Next Article