Union Minister Narayan Rane & Chief Minister Uddhav Thackeray
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Narayan Rane) ફરી એકવાર શિવસેના અને મહા વિકાસ અઘાડી સરકારનું નેતૃત્વ કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પર પ્રહારો કર્યા છે. શુક્રવારે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે મહા વિકાસ આઘાડી સરકારને રાજ્ય ચલાવવામાં અસમર્થ ગણાવી હતી. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને અત્યાર સુધીના સૌથી લાચાર સીએમ (BJP vs Shiv Sena) ગણાવ્યા. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર પાસે રાજ્યની સમસ્યાઓનો ઉકેલ શોધવાની ક્ષમતા કે ઈચ્છાશક્તિ નથી. તેમણે કહ્યું કે આકાશ ગરમ થઈ રહ્યું છે, ગરમી વધી રહી છે અને વીજળીની કટોકટી ઊભી થઈ છે.
નારાયણ રાણેએ સવાલ કર્યો કે પહેલાની સરકારમાં લોડશેડિંગ નહોતું થતું તો હવે કેમ થવા લાગ્યું છે. તેમણે કહ્યું કે, આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે રાજ્ય સરકારે વીજળી પેદા કરવા માટે કોલસા કંપનીઓ પાસેથી લીધેલા કોલસાનું 800 કરોડ રૂપિયાનું બિલ ચૂકવ્યું નથી. તેમણે પ્રશ્ન કર્યો અને કહ્યું અંધારામાં કોને રહેવું પડશે? જનતાને. પણ આ અંધકાર માટે જવાબદાર કોણ? રાજ્ય સરકાર. તેવા સવાલો પૂછતાં નારાયણ રાણેએ મહા વિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધ્યું હતું.
સરકાર ગુજરાતમાંથી વીજળી ખરીદશે, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
આ દરમિયાન, તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં લોડ શેડિંગના મુદ્દા પર ચર્ચા કરવા માટે શુક્રવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે વીજળીની અછતના સંજોગોમાં રાજ્ય ગુજરાતમાંથી વીજ ખરીદશે અને જનતાને તકલીફ નહીં પડવા દે.
અમારા બંગલામાં કોઈ અનધિકૃત બાંધકામ નથી, મુખ્યમંત્રીના બંગલામાં ગેરકાયદે બાંધકામ
નારાયણ રાણેએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે મુંબઈના જુહુમાં તેમના અધીશ બંગલામાં કોઈ અનધિકૃત બાંધકામ થયું નથી. ઉપરના માળે માત્ર થોડા શાકભાજી ઉગાડવામાં આવ્યા છે, જેને BMCએ ગેરકાયદે જાહેર કર્યા છે. ઉલટું સીએમ ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલાના એક્સ્ટેંશન ભાગમાં ગેરકાયદે બાંધકામ થયું છે. ફડણવીસ સરકાર દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેને નિયમિત કરાવ્યું હતું. તેમણે દેવેન્દ્ર ફડણવીસનો આભાર માનવો જોઈએ.
નારાયણ રાણેએ કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમની સામે મજબૂત વકીલ મૂક્યા છે. પરંતુ મરાઠા આરક્ષણના મુદ્દે મજબૂત વકીલને ઉતાર્યા નથી. કારણ કે આ સરકારને લોકોના કામ કરવા નથી. તેમને અનામત પણ આપવુ નથી.
નારાયણ રાણેએ કહ્યું કે ગઈ કાલે જોયું સંજય રાઉતના સ્વાગતમાં તેમના કાર્યકરોને નાચતા જોયા હતા. તેમનો ફ્લેટ જપ્ત કરવામાં આવ્યો, એટલા માટે નાચી રહ્યા હતા? તેમણે દાવો કર્યો કે સંજય રાઉત પોતાની પાર્ટીમાં એકલા પડી ગયા છે. એક પણ ધારાસભ્ય તેમની સાથે રસ્તા પર ઉતર્યો ન હતો. તેમણે કહ્યું કે કિરીટ સોમૈયા એકલા નથી, રાઉત એકલા છે. રાજ્યમાં ભાજપના 105 ધારાસભ્યો છે. શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. આગામી ચૂંટણીમાં આટલા પણ નહી બચે.