Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

|

Nov 26, 2021 | 6:41 PM

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યુ છે, તેમજ ભૂતપૂર્વ કમિશનરને થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવા આદેશ કર્યો છે.

Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ
Parambir Singh (File photo)

Follow us on

Parambir Singh Case: થાણેની એક કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ રદ કર્યું છે. પરમબીર સિંહ હાજર થતા તેમની સામેનું બિનજામીનપાત્ર વોરંટ રદ (Non-bailable warrant) કરવામાં આવ્યું છે. કોર્ટે વોરંટ રદ કરતાં પરમબીર સિંહને કોર્ટે થાણે પોલીસને (Thane Police) તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને 15,000 રૂપિયાના અંગત બોન્ડ ભરવા માટે પણ કહ્યું છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કોર્ટે પરમબીર સિંહને અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

તમને જણાવી દઈએ કે કોર્ટે પરમબીર સિંહને પર્સનલ બોન્ડ ફાઈલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. બિનજામીનપાત્ર વોરંટ રદ થયા બાદ પરમબીર થાણે નગર પોલીસ સ્ટેશન (Thane Police Station) જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ કમિશનરે નીચલી અદાલતમાં તેમની સામેના બિન જામીનપાત્ર વોરંટને રદ કરવા અને તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવા માગણી કરી હતી.

 

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કરી દીધું છે. તેમજ ભૂતપૂર્વ કમિશનરે થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવાના રહેશે. પરમબીર સિંહ લાંબા સમયથી ગુમ હતા, જેથી કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યા હતા.

 

ખંડણી કેસમાં ફસાયા મુંબઈના પૂર્વ કમિશનર

લાંબા સમય બાદ બુધવારે પોતાનું મૌન તોડતા મુંબઈના પૂર્વ કમિશનરે કહ્યું કે તેઓ ચંડીગઢમાં છે. ઉપરાંત તેણે ટૂંક સમયમાં તેની સામેના કેસોની તપાસમાં પણ સામેલ થવા જણાવ્યુ હતુ. જે બાદ તેઓ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં પરમબીર સિંહ ખંડણીના એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.

 

આ પણ વાંચો : 26/11 Mumbai Attack : જાબાઝ સૈનિક ! ભારતીય સેના સાથે આ અમેરિકન સૈનિકે 157 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા

 

આ પણ વાંચો : Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

Next Article