Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર

|

Nov 21, 2021 | 3:22 PM

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, "PM કેર ફંડમાં ઘણા પૈસા પડ્યા છે, આ ફંડમાંથી ખેડૂતોને મદદ કરી શકાય છે. માત્ર ખેડૂતો અને દેશની માફી માંગવાથી કામ નહી ચાલે. "

Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર
Sanjay Raut and PM Modi

Follow us on

Maharashtra: ખેડૂતોની સામે આખરે કેન્દ્રની મોદી સરકારે ઝુકવુ પડ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. વડાપ્રધાને દેશને (PM Narendra Modi) સંબોધન કરતા જણાવ્યુ હતુ કે આ કાયદા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા હતા, પરંતુ સરકાર કેટલાક ખેડૂતોને તેના ફાયદા સમજાવવામાં નિષ્ફળ રહી છે. જેથી આ કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચી લેવામાં આવશે. 

 

આ કાયદાઓ રદ કરાવવા માટે રસ્તા પર ઉતરેલા ઘણા ખેડૂતો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આવા ખેડૂતોના પરિવારોને મદદની કરવાની માંગ ઉઠી છે. રવિવારે પત્રકારો સાથે વાત કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) પણ આ માંગને સમર્થન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, “મૃતક ખેડૂતોના પરિવારને મદદ કરવા દેશભરમાંથી આ માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 700 જેટલા ખેડૂતોના મોત થયા છે. તેમાંથી કેટલાક સિંધુ સરહદમાં, કેટલાક ગાઝીપુર સરહદમાં મૃત્યુ પામ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

સરકારની ભુલની સજા ખેડૂતોએ ભોગવવી પડી 

વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ આ કાયદાઓ પાછા ખેંચી લીધા છે. સરકારને પોતાની ભૂલ સમજાતા તેમણે આ નિર્ણય લીધો, પરંતુ આ ભૂલની સજા ખેડૂતોએ ભોગવવી પડી હતી. ખેડૂતોના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી કેન્દ્ર સરકાર અને વડાપ્રધાને તેમની મદદ કરવી જોઈએ.”

 

PM મોદી સહાનુભૂતિ ધરાવે છે,તે મૃતક ખેડૂતોના પરિવારને મદદ કરશે

વધુમાં સંજય રાઉતે કહ્યું “પીએમ કેર ફંડમાં ઘણા પૈસા પડ્યા છે. તે ફંડમાંથી ખેડૂતોને મદદ કરી શકાય છે. ખેડૂતો અને દેશની માફી માંગવાથી કામ નહીં ચાલે. તે 700 પરિવારોને આધાર આપવો જરૂરી છે. મને ખાતરી છે કે વડાપ્રધાન મૃતક ખેડૂતોના પરિવારને મદદ કરશે.”

 

તેલંગાણા સરકારે મૃતક ખેડૂત પરિવારોને 3 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરી

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) પક્ષના વડા અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર. રાવે (CSR)શનિવારે તે ખેડૂતોના પરિવારોને ત્રણ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી , જેમના પરિવારના સભ્યો ખેડૂતોના આંદોલનમાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય કેસીઆરે કેન્દ્ર સરકાર પાસે આવા પરિવારો માટે 25 લાખ રૂપિયાની સહાયની પણ માંગ કરી છે.

 

આ પણ વાંચો: Sameer Wankhede Case: સમીર વાનખેડે સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી, નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી

આ પણ વાંચો: Aryan Khan Case: આર્યન ખાનના જામીન ડિટેલ ઓર્ડર પર નવાબ મલિકનું ટ્વીટ, ‘વસૂલી કરવા માટે બનાવટી કેસ રચવામાં આવ્યો, તે સાબિત થઈ ગયું’

Next Article