ભાગ સોમૈયા ભાગ! શિવસેનાના સાંસદ સંજય રાઉતે ‘Save INS Vikrant’ કેસમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા પર સાધ્યું નિશાન

|

Apr 10, 2022 | 7:48 PM

BJP vs Shivsena: મુંબઈ પોલીસે કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયાને પૂછપરછ માટે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પરંતુ બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા. તેના પર સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્ર પર નિશાન સાધ્યું છે.

ભાગ સોમૈયા ભાગ! શિવસેનાના સાંસદ સંજય રાઉતે Save INS Vikrant કેસમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા પર સાધ્યું નિશાન
Sanjay Raut & Kirit Somaiya

Follow us on

મહારાષ્ટ્ર બીજેપી નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya BJP) અને તેમના પુત્ર નીલ સોમૈયાને મુંબઈ પોલીસ (Mumbai Police) તરફથી સમન્સ મોકલવામાં આવ્યા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર નૌકાદળના જહાજ INS વિક્રાંતને બચાવવા અને તેને યુદ્ધ મ્યુઝિયમ બનાવવા માટે સેવ INS વિક્રાંત અભિયાનના નામ પર કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. કિરીટ સોમૈયાની આગેવાની હેઠળ જમા કરાયેલા આ નાણાં તેઓએ પચાવી લીધા હતા. સંજય રાઉતના જણાવ્યા અનુસાર, 2013-14માં કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે તેઓ રાજ્યપાલ પાસે પૈસા જમા કરાવશે. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ રાજભવનમાં આ નામે કોઈ રકમ જમા કરવામાં આવી નથી. આ મામલે તપાસ કરવા માટે મુંબઈ પોલીસે કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયાને સમન્સ પાઠવ્યા છે.

મુંબઈ પોલીસે કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયાને પૂછપરછ માટે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પરંતુ બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા. તેના પર સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્ર પર નિશાન સાધ્યું છે. સોમૈયા પિતા-પુત્ર ફરાર છે. આ બંને મિલ્ખા સિંહ કરતા પણ વધુ ઝડપથી દોડી રહ્યા છે. ઓકે ભાગ સોમૈયા ભાગ!” આ ટ્વિટ કરીને સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્ર પર નિશાન સાધ્યું છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

મુંબઈ પોલીસે સમન્સ મોકલ્યું, સોમૈયા પિતા-પુત્ર પૂછપરછ માટે હાજર ન થયા

આ કેસમાં ધરપકડની શક્યતાને ધ્યાનમાં રાખીને કિરીટ સોમૈયા પિતા-પુત્ર બંને આગોતરા જામીન માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા છે. તેમની અરજી પર આવતીકાલે (સોમવાર, 11 એપ્રિલ) સુનાવણી થવાની છે. તેમના વકીલ હૃષીકેશ મુંદરગીએ જણાવ્યું હતું કે કિરીટ સોમૈયા પૂછપરછ માટે હાજર થઈ શક્યા નથી કારણ કે તેમને ચોવીસ કલાકથી ઓછો સમય આપવામાં આવ્યો હતો. તેઓ પૂર્વ આયોજિત કાર્યક્રમ હેઠળ દિલ્હીમાં છે.

કિરીટ સોમૈયા અને નીલ સોમૈયા વિરુદ્ધ બુધવારે રાત્રે મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં 57 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા બદલ FIR નોંધવામાં આવી છે. આ પૈસા વિક્રાંતને ભંગારમાં જતા બચાવવા અને તેને મ્યુઝિયમ બનાવવા માટે જમા કરવામાં આવ્યા હતા. પરંતુ સોમૈયાએ ભારતના સ્વાભિમાન અને સન્માનના પ્રતિક વિક્રાંતના નામે જમા કરાયેલા નાણાંની ઉચાપત કરી હતી. ટ્રોમ્બે પોલીસે આ આરોપ અંગે પૂછપરછ કરવાની છે.

આ પણ વાંચો :  લાઉડસ્પીકર વિવાદ યથાવત : MNSએ શિવસેના ભવનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત

Next Article