Sameer Wankhede: સમીર વાનખેડેની નહીં થાય ધરપકડ, બોમ્બે હાઈકોર્ટે 8 જૂન સુધી આપી મોટી રાહત

|

May 22, 2023 | 6:27 PM

આ પહેલા સમીર વાનખેડેના વકીલે કોર્ટમાંથી રાહતની વાત કરી તો સીબીઆઈએ કહ્યું કે અમને તપાસ માટે વધુ સમય જોઈએ છે. અમારી પાસે તપાસ માટે શનિવાર અને રવિવાર એટલે કે બે દિવસ જ છે. સીબીઆઈએ કહ્યું કે સમીરની વધુ પૂછપરછ કરવાની જરૂર છે.

Sameer Wankhede: સમીર વાનખેડેની નહીં થાય ધરપકડ, બોમ્બે હાઈકોર્ટે 8 જૂન સુધી આપી મોટી રાહત
Sameer wankhede

Follow us on

Mumbai: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ચીફ સમીર વાનખેડેને (Sameer Wankhede) બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે સમીર વાનખેડેની ધરપકડ પર 8મી જૂન સુધી રોક લગાવી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 8મી જૂને છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે સમીર વાનખેડેને પૂછ્યું કે શું તે શાહરૂખ ખાન વચ્ચેની ચેટ મીડિયામાં લીક થવા માટે જવાબદાર છે?

કોર્ટે પૂછ્યું કે શું સમીર વાનખેડે પર શાહરૂખ પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. તેણે આ ચેટ વાયરલ કરી છે. આના પર સમીર વાનખેડેના વકીલ આબાદ પોંડાએ જવાબ આપ્યો કે તે અરજીનો ભાગ છે. મેં ચેટ વાયરલ નથી કરી.

આ પહેલા સમીર વાનખેડેના વકીલે કોર્ટમાંથી રાહતની વાત કરી તો સીબીઆઈએ કહ્યું કે અમને તપાસ માટે વધુ સમય જોઈએ છે. અમારી પાસે તપાસ માટે શનિવાર અને રવિવાર એટલે કે બે દિવસ જ છે. સીબીઆઈએ કહ્યું કે સમીરની વધુ પૂછપરછ કરવાની જરૂર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તે જ સમયે સમીર વાનખેડે વતી એડવોકેટ આબાદ પોંડાએ કોર્ટમાં દલીલો કરી હતી. એડવોકેટ પોંડાએ કહ્યું કે મારો ઈરાદો સારો હતો. મારો હેતુ સમાજમાંથી ડ્રગ્સને ખતમ કરવાનો હતો. પરંતુ કેટલાક લોકો તેને મંજૂરી આપતા ન હતા. હું કોઈનું નામ નહીં લઉં. વાનખેડેના વકીલે કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપશે. પરંતુ વચગાળાની રાહત આપવી જોઈએ.

આ પણ વાંચો: Mumbai: મુંબઈની લોકલ ટ્રેનોને રિપ્લેસ કરશે વંદે ભારત મેટ્રો ! ટૂંક જ સમયમાં જ દોડાવાશે, ભીડથી મળશે છુટકારો

વાનખેડે કોઈ ખુલાસો કરવા તૈયાર નથી: CBI

સીબીઆઈએ કોર્ટ સામે કહ્યું કે સમીર વાનખેડેની તપાસ હજુ અધૂરી છે. વાનખેડે હજુ સુધી કોઈ મહત્વનો ખુલાસો કરવા તૈયાર નથી. સીબીઆઈએ કહ્યું કે તે તપાસના મહત્વના ભાગોને જાહેર કરી શકે નહીં. CBIના વકીલ કુલદીપ પાટીલે ગંભીર આરોપ લગાવ્યા છે.

કોર્ટમાંથી રાહત મળશે તો પુરાવાનો ગાયબ કરી શકે છે: CBI

વાનખેડેના વકીલે કહ્યું કે તપાસના બહાને તેઓ મારી ધરપકડ કરવા માંગે છે. એટલા માટે કોર્ટે મને વચગાળાની રાહત આપવી જોઈએ. તેના પર સીબીઆઈએ કહ્યું કે જો સમીર વાનખેડેને રાહત આપવામાં આવે તો તે પુરાવાનો નાશ કરી શકે છે.

સીબીઆઈ પીસી એક્ટના 17A સંબંધિત એફિડેવિટ દાખલ કરવામાં સક્ષમ નથી. એનસીબીએ 17એ એફિડેવિટ દાખલ કરી છે. સીબીઆઈ વધુ સમય માંગે છે પરંતુ ધરપકડમાંથી વચગાળાની રાહત સમાપ્ત કરવા માંગે છે. સીબીઆઈના વકીલનું કહેવું છે કે વચગાળાની રાહતને કારણે પુરાવા સાથે છેડછાડ થશે.

જજે વોટ્સએપ ચેટ લીક થવા સામે વાંધો ઉઠાવ્યો હતો

સમીર વાનખેડેના વકીલનું કહેવું છે કે તેઓ લેખિતમાં આપી શકે છે કે પુરાવા સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. જજે વોટ્સએપ ચેટ મીડિયામાં લીક થવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સમીર વાનખેડેના વકીલનું કહેવું છે કે તેઓ મીડિયામાં ગયા નથી. વોટ્સએપ ચેટ અરજીનો એક ભાગ છે.

સીબીઆઈના વકીલે કહ્યું કે આ ચેટ્સ તે સમયથી છે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ચેટ્સ પિતા તરીકે કરવામાં આવી હતી. આજે વાનખેડે આ ચેટ્સને તેની નિર્દોષતાનું પ્રમાણપત્ર કહી રહ્યો છે.

જજ- આજે ચર્ચા છે કે તેની ધરપકડ કરવાની જરૂર છે કે નહીં.

સીબીઆઈ- ધરપકડ કરવી કે નહીં તે IOનો નિર્ણય હોય છે.

જજ – શું તમે શુક્રવારના આ કોર્ટના આદેશને પડકારી રહ્યા છો?

જજ – તમે ઈચ્છો છો કે જ્યારે તમે ફોન કરો ત્યારે તેઓ તપાસ માટે આવે અને જો તેઓ લેખિતમાં આપવામાં આવે તો પુરાવા સાથે છેડછાડ ન કરે.

સીબીઆઈ – પરંતુ IOના અધિકારોને prejudiced ન કરી શકો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article