Russia-Ukraine Crisis: યુક્રેનમાંથી 219 ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ મુંબઈ પહોંચી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કર્યું સ્વાગત

|

Feb 26, 2022 | 10:15 PM

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈ એરપોર્ટ પર યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, સરકાર આપણા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.

Russia-Ukraine Crisis: યુક્રેનમાંથી 219 ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ મુંબઈ પહોંચી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કર્યું સ્વાગત
219 Indians have returned to Ukraine
Image Credit source: Dr. AS Jaishankar

Follow us on

રશિયા અને યુક્રેન (Russia-Ukraine Crisis) વચ્ચે ચાલુ તણાવ ચાલુ છે. આ દરમિયાન, ભારત સરકારની પહેલ પર, યુક્રેનથી 219 મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઇટ (evacuation flight) મહારાષ્ટ્રના મુંબઈમાં લેન્ડ થઈ છે. વિમાને આજે બપોરે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈ એરપોર્ટ પર યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. આ સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું, “સરકાર આપણા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.”

મુંબઈ એરપોર્ટ પર ઉતરતા આ વિદ્યાર્થીઓ માટે કોરોના સંબંધિત કયા નિયમો અપનાવવામાં આવશે અને તેમની કેવી કાળજી રાખવામાં આવશે, આ અંગે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે જે વિદ્યાર્થીઓનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે તેમના પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. તેઓ આવીને સીધા તેમના ઘર તરફ જઈ શકશે. જેમનું રસીકરણ પૂર્ણ થયું નથી, તેમના મફત કોરોના પરીક્ષણ કરવામાં આવશે. તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે નહીં. તેમને પણ ઘરે રહેવાની છૂટ આપવામાં આવશે.

નાસ્તો અને ખાવા પિવાની જરૂરીયાત માટે સંપૂર્ણ વ્યવસ્થા

મેયર કિશોરી પેડનેકરે કહ્યું, ‘વિદ્યાર્થીઓ જ્યારે અહીં આવશે ત્યારે તેમની માનસિક સ્થિતિ કેવી હશે, તેઓ નર્વસ છે કે નહીં, તે જોવાની જરૂર હશે. તેમને આવકારવા અને અહીં આવતાની સાથે જ જો તેમને નાસ્તો અને ખાવા-પીવાની જરૂર હોય તો BMC દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ અહીં આવતાની સાથે જ આનંદની લાગણી અનુભવશે, આ માટે તેઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પરથી તેઓ ક્યાં જવા માગે છે તેની માહિતી લીધા બાદ તેમને ઘરે મોકલવા માટે મદદ કરવામાં આવશે.

આ પહેલા એર ઈન્ડિયાએ એક ટ્વિટ કરીને ‘જય હિંદ’ની ઘોષણા કરી હતી. તેણે ટ્વીટમાં લખ્યું- ‘કારણ કે હિંમત સાથે અમારી જૂની મિત્રતા છે’. એર ઈન્ડિયાનું આ ટ્વિટ ભારતીયોના દિલ જીતી રહ્યું છે. અહીં મુંબઈ એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તાએ માહિતી આપી હતી કે, યુક્રેનના સંકટમાંથી નિકળીને આવેનાર અને મુંબઈમાં ઉતરનાર ભારતીય વિદ્યાર્થીઓને એરપોર્ટ પરથી સંપૂર્ણ સુવિધા આપવામાં આવશે. તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

આ પણ વાંચો :  Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેના આજથી આમરણાંત ઉપવાસ, મરાઠા આરક્ષણની માગ સાથે હજારો યુવાનો પહોંચી રહ્યા છે મુંબઈ

Published On - 9:42 pm, Sat, 26 February 22

Next Article