Power Cut in Mumbai : મુંબઈના ઘણા વિસ્તારોમાં પાવર કટ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પણ અંધારપટ્ટ

મુંબઈના ઘણા વિસ્તારોમાં આજે (રવિવાર, 27 ફેબ્રુઆરી) પાવર કટ થઈ ગયો હતો. ટાટા ગ્રીડમાં ફેઈલીયરને કારણે, વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો.

Power Cut in Mumbai : મુંબઈના ઘણા વિસ્તારોમાં પાવર કટ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પણ અંધારપટ્ટ
Power supply in Mumbai after an hour
| Edited By: | Updated on: Feb 27, 2022 | 1:44 PM

મુંબઈના ઘણા વિસ્તારોમાં આજે (રવિવાર, 27 ફેબ્રુઆરી) પાવર કટ (Power cut) થઈ ગયો હતો. ટાટા ગ્રીડમાં ફેઈલીયરને કારણે, વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો. ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં કોલાબાથી કુર્લા અને ચર્ચગેટથી વિરાર સુધી લાઇટના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વીજળીના અભાવે મુંબઈ લોકલ ટ્રેન સેવાઓને પણ અસર થઈ હતી. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની ટ્રેનો ખોરવાઈ ગઈ હતી અને લાંબા સમય સુધી એક જ જગ્યાએ રોકાઈ રહી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં સંપૂર્ણપણે અંધારપટ્ટ થઈ ગયો હતો.

ફોર્ટ, દાદર, લાલબાગ, મસ્જિદ, માટુંગા, ભાયખલા, શિયો, પરેલ, વરલી અને પ્રભાદેવી વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. જો કે, રવિવાર હોવાને કારણે લોકોને બહુ પરેશાન નહોતા થયા કારણ કે લોકો પહેલેથી જ રજાના દિવસે તેમના ઘરે હોય છે. લગભગ એક કલાક સુધી આ સ્થિતિ રહી હતી. આ પછી ફરીથી વીજળીનો પુરવઠો પૂર્વવત થઈ શકશે.

આજે સવારે ટાટા પાવર સપ્લાયમાં વિક્ષેપને કારણે, મુંબઈના ઘણા વિસ્તારોમાં સવારે 9.50 થી 10.53 સુધી લાઇટ બંધ જતી રહી હતી. ટાટા ગ્રીડ ફેલ થવાને કારણે પાવર કટ થઈ ગયો હતો. જેના કારણે મુંબઈથી ટ્રોમ્બે સુધીની લાઈટો બંધ થઈ ગઈ હતી. આ જ સ્થિતિ ચર્ચગેટથી વિરાર સુધીના વિસ્તારોમાં રહી હતી.

એક કલાક બાદ વીજ પુરવઠો શરૂ થયો હતો

પાવર કટના કારણે રેલ સેવાને પણ અસર થઈ હતી. વેસ્ટ, સેન્ટ્રલ અને હાર્બર લાઇન પરનો રેલ વ્યવહાર થોડા સમય માટે ઠપ થઈ ગયો હતો. પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ઓવરહેડ વાયરમાં વીજ પુરવઠો ન મળવાને કારણે ઘણી ટ્રેનો એક જ જગ્યાએ રોકી દેવામાં આવી હતી. હાર્બર લાઇન પર મેગા બ્લોકના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ભાગ્યે જ બહાર નીકળતા હતા. વેસ્ટર્ન લાઇનમાં પડતી મુશ્કેલીઓ ઘટાડવા જોગેશ્વરી સબ-સ્ટેશનમાંથી વીજ પુરવઠો વધારવામાં આવ્યો હતો.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર અંધારપટ્ટ

અચાનક વીજ કાપને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પણ અંધકાર છવાઈ ગયો હતો. આખા સ્ટેશનમાં અંધારું હતું. રવિવાર હોવાથી ભીડ નહોતી. તેથી, તેની વધુ અસર જોવા મળી નથી.

આ પણ વાંચો: Mumbai School: મુંબઈમાં 2 માર્ચથી શાળાઓ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે, BMCએ પરિપત્ર બહાર પાડ્યો

આ પણ વાંચો: CBSE Term 2 Practical Exam Guideline: CBSE 10મી-12મી ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા માટેની માર્ગદર્શિકા થઈ જાહેર