સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ

|

Feb 12, 2022 | 4:40 PM

કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે.

સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ
Nawab Malik and Sameer Wankhede (File Photo)

Follow us on

Sameer Wankhede Case: સમીર વાનખેડેને મોટી રાહત મળી છે, જ્યારે નવાબ મલિકને (Nawab Malik) મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (National Commission for Scheduled Castes)એ NCB અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede) મહાર જાતિના ગણાવ્યા છે અને તેમની સામેની SIT રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય NCSCએ મુંબઈ પોલીસને NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડેના દલિત હોવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને મુસ્લિમ ગણાવ્યા હતા. ત્યારે હાલ આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના મુખ્ય સચિવ, મુંબઈ પોલીસ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યુ છે અને 7મી માર્ચે કમિશન સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

કમિશને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે (Mumbai Police) આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે. આવી સ્થિતિમાં કમિશને મુંબઈ પોલીસને તાત્કાલિક SITની તપાસ રોકવા અને નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કમિશને આ મામલાની તપાસ ACP સ્તરના અધિકારી દ્વારા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ મુંબઈ પોલીસને એક્શન ટેકન રિપોર્ટ (ATR)ની સાથે FIRની નકલ કમિશન સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

સમીર વાનખેડે સામેની SIT તપાસ રદ કરવામાં આવી

કમિશનના આદેશમાં સમીર વાનખેડે સામેની SIT તપાસને તાત્કાલિક રદ કરવાનું કહેવામાં આવ્યુ છે, કારણ કે SC/ST POA એક્ટ હેઠળ એફઆઈઆર નોંધતા પહેલા SITની સ્થાપના અને પ્રાથમિક તપાસ કરવાની કોઈ જોગવાઈ નથી. પંચે આ મામલામાં મુંબઈ પોલીસને તપાસના નામે સમીર વાનખેડેને હેરાન કરવાનું બંધ કરવાની ચેતવણી આપી છે. કમિશને મહારાષ્ટ્ર કાસ્ટ સ્ક્રુટિની કમિટીને વાનખેડેના કાસ્ટ સર્ટિફિકેટની ચકાસણીનું કામ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

 

આ પણ વાંચો : Maharashtra: મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્ર થશે સંપૂર્ણ અનલોક, નાયબ મુખ્યપ્રધાને આપ્યા આ સંકેત

Published On - 4:34 pm, Sat, 12 February 22