Maharashtra : રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી આપ્યા બાદ, હવે મુંબઈગરોની ઈચ્છા પૂરી થશે ?

|

Sep 26, 2021 | 12:45 PM

મહારાષ્ટ્ર સરકારે 4 ઓક્ટોબરથી શાળાઓ, (School Reopen) 7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળો અને 22 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે મુંબઈગરાઓએ લોકલ ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે.

Maharashtra : રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી આપ્યા બાદ, હવે મુંબઈગરોની ઈચ્છા પૂરી થશે ?
Mumbai Local Train (File Photo)

Follow us on

Maharashtra :  કોરોના સંક્રમણ ઘટતા મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધોને હળવા કર્યા છે. રાજ્યમાં શાળા-કોલેજો, ધાર્મિક સ્થળો અને થિયેટરોની પરવાનગી આપ્યા બાદ લોકો લોકલ ટ્રેન (Local Train) શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.ત્યારે હવે બધાની નજર મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે તેના પર છે.

રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી

મહારાષ્ટ્રની સાથે મુંબઈમાં પણ કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) આગેવાનીવાળી મહા વિકાસ અઘાડી સરકારે 4 ઓક્ટોબરથી શાળાઓ, 7 ઓક્ટોબરથી મંદિરો સહિત તમામ ધાર્મિક સ્થળો અને 22 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે લોકલ ટ્રેન શરૂ કરવાની મુંબઈગરોની માંગ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વેક્સિનના બંને ડોઝ લેનાર જ કરી શકે છે લોકલ ટ્રેનમાં મુસાફરી

કોરોના માટે રામબાણ ઈલાજ ગણાતી વેક્સિનને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં વેક્સિનના બંને ડોઝ ધરાવતા લોકો જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે.આશ્ચર્યજનક બાબત એ છે કે લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો 18 થી 40 વર્ષની વય જૂથમાં છે. જ્યારે બંને ડોઝ (Vaccine Dose)લેનારા મોટાભાગના લોકોની ઉંમર 45 વર્ષથી ઉપર છે. મોટાભાગના આધેડ રોજિંદા કામ પર માટો લકલ ટ્રેનનો ઉપયોગ કરે છે.

મુંબઈગરો ભોગવી રહ્યા છે હાલાકી

જેમને દરરોજ તેમના વ્યવસાય માટે બહાર જવું પડે છે તેમાંથી ઘણા રસીના બંને ડોઝ મેળવી શક્યા નથી.જેથી તેવા લોકોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ વેક્સિનને (Vaccination) પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે,પરંતુ ચિત્ર કંઈક જુદુ જ સ્પષ્ટ થઈ રહ્યુ છે.રાજ્યમાં વેક્સિનનો જથ્થો અપુરતો હોવાથી પણ લોકો વેક્સિન મેળવી શકતા નથી,જેને કારણે હાલ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.

શું લોકલ ટ્રેનમાં વેક્સિન વિના પણ મુસાફરી કરવાની પરવાનગી મળશે ?

રાજકીય કાર્યક્રમો ચાલી રહ્યા છે, તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે, બજારોમાં ભીડ એકઠી થઈ રહી છે. ત્યારે મુંબઈગરાઓ પ્રશ્ન કરી રહ્યા છે કે માત્ર લોકલ ટ્રેનમાં જ નિયમો કેમ ? રાજ્યમાં શાળા કોલેજો, ધાર્મિક સ્થળો અને થિયેટરો ખોલવાની પરવાનગી આપ્યા બાદ, હાલ લોકો મુંબઈ લોકલ ટ્રેનમાં વેક્સિન વિના પણ મુસાફરી(Travel) કરી શકે તેવી માંગ કરી રહ્યા છે.ત્યારે મહારાષ્ટ્રની અઘાડી સરકાર મંજુરી આપશે કે કેમ તે જોવુ રહ્યુ .

 

આ પણ વાંચો: પ્રેમિકા સાથે સંબંધ રાખીને છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરવો બળાત્કાર નથી: હાઇકોર્ટ

આ પણ વાંચો:  Maharashtra: મહાવિકાસ અઘાડી સરકારમાં ડખ્ખો ! સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષના નેતાએ રાજ્યપાલને કરી CM ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ

Next Article