
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે આજે તેમનુ ઉપવાસ આંદોલન સમેટી લીધુ છે. મુંબઈમાં આઝાદ મેદાન ખાતે હજ્જારો ટેકેદારોની હાજરીમાં ચાર દિવસના ઉપવાસ બાદ આજે ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે એક તરફ હાઈકોર્ટે આકરુ વલણ દાખવ્યું હતુ તો બીજી તરફ સરકાર પક્ષે વાટોઘાટો તેજ કરવામાં આવી હતી. આખરે, મનોજ જરાંગેએ, તેમનુ આંદોલન સમેટવાની જાહેરાત કરતા કહ્યું કે, તેમની જીત થઈ છે. સરકારે 8માંથી 6 માંગણીઓ સ્વીકારી છે.
મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરંગેને આઝાદ મેદાન ખાલી કરવા માટે આવતીકાલ એટલે કે બુધવાર સવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેમણે અને તેમના સમર્થકોએ આવતીકાલ સવાર સુધીમાં આઝાદ મેદાન ખાલી કરવું પડશે.
અગાઉ, હાઇકોર્ટે આજે મંગળવારે બપોરે 3 વાગ્યા સુધીમાં આઝાદ મેદાન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન, સરકારે તેમની સાતમાંથી પાંચ માંગણીઓ સ્વીકારી હતી. બે માંગણીઓ અધૂરી છે. મંગળવારે જરંગેની ભૂખ હડતાળનો પાંચમો દિવસ હતો. જ્યારે પોલીસ આઝાદ મેદાન ખાલી કરાવવા પહોંચી, ત્યારે જરાંગેના સમર્થકો અને પોલીસ વચ્ચે દલીલ થઈ. હાઈકોર્ટ આવતીકાલે બપોરે 1 વાગ્યે આ મામલાની ફરી સુનાવણી કરશે. જરાંગે છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં ભૂખ હડતાળ પર હતા.
હાઈકોર્ટના આદેશ પછી, મહારાષ્ટ્ર સરકારનું એક પ્રતિનિધિમંડળ પણ જરાંગેને મળવા માટે આઝાદ મેદાન પહોંચ્યું. મહારાષ્ટ્ર સરકારના ચાર મંત્રીઓ, રાધાકૃષ્ણ વિખે પાટિલ, શિવેન્દ્ર રાજે ભોસલે, જય કુમાર ગોર અને માણિકરાવ કોકાટે જરાંગેને મળવા માટે આઝાદ મેદાન પહોંચ્યા. ચારેય મંત્રીઓએ જરાંગે પાટિલને અનામત અંગે સમિતિ સાથે થયેલી ચર્ચાઓ વિશે બધી માહિતી આપી. આ પછી, જરાંગેએ જાહેરાત કરી કે તેઓ જીતી ગયા છે.
મહારાષ્ટ્રને લગતા તમામ નાના મોટા સમાચાર વિગતે જાણવા માટે આપ અહીં ક્લિક કરો.