AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર દિવાળી માટે જ નહીં, મેટ્રો હવે કાયમ માટે મોડી રાત સુધી ચાલશે, જુઓ ટાઈમટેબલ

મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ દિવાળીના અવસર પર મેટ્રોનો સમય વધારવા માટે MMRDAને પત્ર લખ્યો હતો. તેના પર મુખ્યમંત્રીએ માત્ર તહેવારો માટે જ નહીં પણ મેટ્રોનો સમય નિયમિતપણે લંબાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

માત્ર દિવાળી માટે જ નહીં, મેટ્રો હવે કાયમ માટે મોડી રાત સુધી ચાલશે, જુઓ ટાઈમટેબલ
metro timings
| Updated on: Nov 11, 2023 | 11:43 AM
Share

MMRDA પ્રશાસને મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં મુસાફરોની સુવિધા માટે મેટ્રો-2A અને મેટ્રો-7ની સેવાઓ મોડી રાત સુધી ચલાવવાનો નિર્ણય લીધો છે. દિવાળીના અવસર પર મુંબઈવાસીઓ મોડી રાત સુધી મેટ્રોમાં મુસાફરી કરી શકશે. મેટ્રો પ્રશાસને આ નિર્ણય MMRDAના અધ્યક્ષ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના આદેશ અનુસાર લીધો છે.

મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢાએ એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનરને પત્ર લખીને મોડી રાત સુધી મેટ્રો સેવા ચલાવવાની માગણી કરી હતી. તેથી હવે માત્ર તહેવાર માટે જ નહીં પરંતુ આગામી શનિવાર 11 નવેમ્બરથી મેટ્રોના સમયમાં કાયમી ધોરણે વધારો કરવામાં આવ્યો છે. મેટ્રો સેવા હવે 10.30 વાગ્યાના બદલે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.

મુસાફરોને થશે રાહત

મેટ્રો માર્ગ – 2A અને મેટ્રો – 7 ની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારથી પશ્ચિમ ઉપનગરોના મુસાફરોને ટ્રાફિક જામ અને પ્રદૂષણમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈની પ્રથમ મેટ્રો, ઘાટકોપરથી વર્સોવા, મુંબઈ મેટ્રો વન સાથે જોડાઈ છે, જેનાથી બંને મેટ્રોની સવારી વધી છે.

નવરાત્રિ પર્વ દરમિયાન મુંબઈગરાઓની સુવિધા માટે મોડી રાત સુધી મેટ્રો-રૂટ 2A અને મેટ્રો-7 દોડાવીને રાહત પૂરી પાડવામાં આવી હતી. હવે દિવાળી પર પણ મેટ્રો સેવા રાત્રે 10.30ને બદલે 11 વાગ્યા સુધી ચલાવીને મુસાફરોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુંબઈવાસીઓને દિવાળીની ભેટ મળી છે.

બદલાઈ ગયું ટાઈમટેબલ

મુંબઈ મેટ્રો રૂટ 2Aના અંધેરી વેસ્ટ સ્ટેશનથી છેલ્લી મેટ્રો અને મેટ્રો રૂટ 7ના ગુંદવલી સ્ટેશનથી હવે 10.30 વાગ્યાને બદલે 11 વાગ્યે ઉપડશે. હાલમાં, મેટ્રો રૂટ 2A અને 7 પર ગુંદવલી અને અંધેરી વેસ્ટ વચ્ચે લગભગ 253 મેટ્રો ટ્રેનો સોમવારથી શુક્રવાર સુધી સવારે 5.55 થી રાત્રે 10.30 સુધી સાડા સાતથી સાડા દસ મિનિટના અંતરે ચલાવવામાં આવે છે.

આ ઉપરાંત રાત્રે 10 વાગ્યા પછી દહિસર પશ્ચિમથી ગુંદવલી સુધી બે વધારાની મેટ્રો ટ્રીપો દોડાવવામાં આવશે અને બે વધારાની મેટ્રો ટ્રીપો દહાણુકરવાડી અને અંધેરી પશ્ચિમ વચ્ચે દોડાવવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ છ કરોડ નાગરિકોએ મેટ્રો રૂટ 2A અને 7 પર મુસાફરી કરી છે. લગભગ 1.6 લાખ મુંબઈવાસીઓએ મેટ્રો વન કાર્ડ ખરીદ્યું છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">