Maharashtra: ST કર્મચારીઓના મુદ્દે ભાજપ નેતા ગોપીચંદ પડલકરે શરદ પવારને ઘેર્યા, આપ્યુ આ મોટુ નિવેદન
મહારાષ્ટ્ર ભાજપ નેતા ગોપીચંદ પડલકરે (BJP leader Gopichand Padalkar) કહ્યું કે ઘણા ST કર્મચારીઓ તેમના પગાર અને તેમના અધિકારો માટે લડી રહ્યા છે. તેમની સાથે આવું કરવું ખોટું છે.
મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપીચંદ પડલકરે (BJP leader Gopichand Padalkar) એસટી કર્મચારીઓના મુદ્દે (Maharashtra ST Employee Issue) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને (NCP Chief Sharad Pawar) ઘેર્યા છે. પડલકરે પવાર પર કર્મચારીઓને સમર્થન ન આપવા અને તેમના ફંડ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો છે. એક વીડિયો જાહેર કરતાં પડલકરે કહ્યું “ST કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી તેમના અધિકારો માટે લડી રહ્યા છે. પરંતુ શરદ પવારની નજર એસટી કર્મચારીઓના બેંકમાં જમા કરાયેલા 2000 કરોડ રૂપિયા અને તેની અન્ય મિલકતો પર છે.
પડલકરે આ વીડિયો સંદેશમાં તે કર્મચારીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જેમાં બાકી રકમ ધરાવતા કર્મચારીઓને સંસ્થાની ચૂંટણીથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પડલકર આ વીડિયોમાં કહે છે કે “આ સમયે આંદોલન કરી રહેલા કેટલાક કાર્યકરોને ચૂંટણીમાં મતદાનના અધિકારથી વંચિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ખોટો નિર્ણય છે.”
અહીં જુઓ વીડિયો
मागील सहा महिन्यापासून #एसटी_कर्मचारी आपल्या हक्कासाठी लढा देत होता. पण शकुनी काकांनी आता याचाच फायदा उचलून दोन हजार कोटीची बँक गिळंकृत करण्याचा डाव आखलाय.अशा मुघलाई प्रवृत्तींना आम्ही धडा शिकवणार आहोत व कायदेशीररित्या यांचा डाव उधळून लावणार आहोत.@BJP4Maharashtra @msrtcofficial pic.twitter.com/TffQCJQnFr
— Gopichand Padalkar (@GopichandP_MLC) April 28, 2022
પોતાના વેતન અને પોતાના અધિકારો માટે લડી રહ્યા છે કર્મચારીઓ
પડલકરે વધુમાં કહ્યું કે ઘણા કર્મચારીઓ તેમના વેતન અને તેમના અધિકારો માટે લડી રહ્યા છે. તેમની સાથે આવું કરવું ખોટું છે. આ વીડિયોમાં પડલકરે NCP પ્રમુખ શરદ પવાર પર જોરદાર નિશાન સાધ્યું છે. પડલકરે પવાર અને તેમના યુનિયન પર કર્મચારીઓના પૈસાનો હિસાબ રાખવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે 1995માં પાવર યુનિયને INTUCની મદદથી કર્મચારીઓ પાસેથી 500 ફી વસૂલ કરી હતી. આ સિવાય દર વર્ષે જન્મદિવસની ઉજવણીના નામે દરેક કર્મચારી પાસેથી 500 રૂપિયા લેવામાં આવતા હતા. પડલકરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના નજીકના મિત્રોને 20-20 લાખ રૂપિયાની કાર આપવામાં આવી હતી.
પાડલકરે વધુમાં કહ્યું કે જો પવારમાં માનવતા હોત તો તેઓ હડતાળ પર ઉતર્યા હોત અને કર્મચારીઓને મદદ કરી હોત. પડલકરે આરોપ લગાવ્યો કે શરદ પવારને તરફથી ભોજન તો દુર પાણીનું પણ પુછવામાં આવ્યું ન હતું. પડલકરના આ આરોપ પર હજુ સુધી NCPની પ્રતિક્રિયા આવી નથી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમાય રહ્યું છે. ભાજપ અને શિવસેનાનું ગઠબંધન જ્યારથી તુટ્યુ છે. ત્યારથી શિવસેના અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાય ગયું છે. બંને પક્ષો એકબીજા સામે દરરોજ નવા નવા આક્ષેપો કરી રહ્યા છે. શબ્દોની મર્યાદા ઓળંગાઈ રહી છે અને રાજનીતિનું સ્તર ક્યાંકને ક્યાંક કથળી રહ્યું છે. તેવામાં ગોપીચંદ પડલકરના આરોપનો એનસીપી દ્વારા અથવા મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા પ્રતિસાદ આપવામાં આવે છે તે જોવું રહ્યું.