Section 144 in Mumbai : મુંબઈમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 લાગૂ, રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ

|

Dec 11, 2021 | 9:43 AM

ઓમિક્રોન કેસને ધ્યાનમાં રાખીને મુંબઈમાં 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન લોકો અને વાહનોની રેલી/મોરચા/સરઘસ પર પ્રતિબંધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 17 કેસ છે.

Section 144 in Mumbai : મુંબઈમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 લાગૂ, રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Omicron: ઓમિક્રોન કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ (Mumbai)માં 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 (Section 144)લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન લોકો અને વાહનોની રેલી/સરઘસ પર પ્રતિબંધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન ( Omicron )ના કુલ 17 કેસ છે. મુંબઈ પોલીસે (Mumbai Police) શુક્રવારે મુંબઈ કમિશનરેટ વિસ્તારમાં ક્રિમિનલ પીનલ કોડ (CRPC) ની કલમ 144 લાગુ કરી છે. જેના કારણે આગામી બે દિવસ સુધી રેલીઓ અને દેખાવો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner)ઓફ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે. તેમણે કહ્યું કે કોવિડ-19 (Covid-19)ના નવા ઓમિક્રોન સ્વરૂપને કારણે માનવ જીવનને ખતરાની સાથે અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જાહેર કરવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે. તે જ સમયે, રાજ્યમાં કોરોના (Corona)ના નવા પ્રકાર ઓમિક્રોનના 7 નવા કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ કેસ મુંબઈના છે અને 4 પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 17 કેસ નોંધાયા છે. મુંબઈના ધારાવીમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટનો મામલો સામે આવ્યો છે.

તાન્ઝાનિયાથી પરત ફરેલ વ્યક્તિ ધારાવીમાં સંક્રમિત જોવા મળ્યો

 

 

મળતી માહિતી મુજબ, ધારાવીનો રહેવાસી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વ્યક્તિમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. તેતાજેતરમાં તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. આ સાત નવા કેસ પછી, ઓમિક્રોનના દેશમાં અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનની નવીનતમ સ્થિતિ પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં દેશની નવીનતમ સ્થિતિ જણાવવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે અત્યાર સુધીમાં આ વેરિઅન્ટ કુલ 59 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે.

હવે કુલ 17 દર્દીઓની પુષ્ટિ થઈ છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 695 નવા કેસ નોંધાયા છે. જેમાં ઓમિક્રોનના સાત કેસ સામેલ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોન ચેપના કુલ કેસોની સંખ્યા હવે વધીને 17 થઈ ગઈ છે. તે જ સમયે, ગુરુવાર સાંજથી રાજ્યમાં વધુ 12 દર્દીઓના મોત થયા છે. વિભાગે કહ્યું કે રાજ્યમાં કોરોના ચેપના કેસોની સંખ્યા વધીને 66,42,372 થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 1,41,223 થઈ ગઈ છે. તે જ સમયે, 64,90,936 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે.

આ પણ વાંચો : Farmer Protest: દિલ્હી પોલીસે ખેડૂતોના આંદોલનને રાજધાનીની બહાર રાખવા માટે એક વર્ષમાં 7 કરોડથી વધુનો ખર્ચ કર્યો

Published On - 8:58 am, Sat, 11 December 21

Next Article