Marathi Board on shops: મહારાષ્ટ્રમાં તમામ દુકાનો પર મરાઠી ભાષામાં લગાવવામાં આવશે બોર્ડ, મહાવિકાસ અઘાડી સરકારનો મોટો નિર્ણય

હવેથી દરેક દુકાનદારે પોતાની દુકાનનું નામ મરાઠીમાં લખવાનું રહેશે. સાથે જ દુકાન પર લાગેલી પટ્ટીમાં મરાઠ્ઠી ભાષામાં લખેલું નામ મોટા અક્ષરોમાં લખવાનું રહેશે.

Marathi Board on shops: મહારાષ્ટ્રમાં તમામ દુકાનો પર મરાઠી ભાષામાં લગાવવામાં આવશે બોર્ડ, મહાવિકાસ અઘાડી સરકારનો મોટો નિર્ણય
Maharashtra CM Uddhav Thackeray (File Photo)
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:29 PM

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં બુધવારે (12 જાન્યુઆરી) એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય હેઠળ આદેશ આપવામાં આવ્યો હતો કે હવેથી રાજ્યની તમામ દુકાનો પર નામના બોર્ડ મરાઠી ભાષામાં (Marathi board on shops) લગાવવાના રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો હવેથી દરેક દુકાનદારે પોતાની દુકાનનું નામ મરાઠીમાં લખવાનું રહેશે. સાથે જ દુકાન પર લાગેલી પટ્ટીમાં મરાઠ્ઠી ભાષામાં લખેલું નામ મોટા અક્ષરોમાં લખવાનું રહેશે.

બોલ્ડ અક્ષરોમાં દુકાનોના નામ લખવાનો આદેશ ખાસ કરીને તે દુકાનદારો માટે આપવામાં આવ્યો છે. જેની દુકાનો પર મોટા અંગ્રેજી અક્ષરોમાં નામની પટ્ટી લખેલી હતી અને ફક્ત કહેવા માટે એક બાજુ મરાઠીમાં પણ નાના અક્ષરોમાં નામ લખવામાં આવ્યા હતા.

આ નિર્ણય 2017માં જ લેવામાં આવ્યો હતો. પરંતુ વ્યવહારમાં તેનો યોગ્ય અમલ થતો ન હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બુધવારે મળેલી કેબિનેટમાં આ આદેશને અસરકારક રીતે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ રીતે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2017 એટલે કે 2017 મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન (રોજગાર અને સેવાની શરતો)ને અસરકારક રીતે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કેબિનેટની બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને સ્કૂલ બસોનો વાર્ષિક વાહન ટેક્સ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો હતો.

નાના દુકાનદારોએ પણ મરાઠી બોર્ડ લગાવવા પડશે

અત્યાર સુધી દસથી ઓછા કર્મચારીઓ સાથે કામ કરતા આવા નાના વેપારીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ બુધવારની બેઠકમાં નાના દુકાનદારો અને વેપારીઓ માટે પણ આ નિયમનો કડક અમલ કરવામાં આવ્યો છે. એટલે કે હવે નાના દુકાનદારો અને વેપારીઓએ પણ પોતાની દુકાનોમાં મરાઠીમાં લખેલા બોર્ડ લગાવવા પડશે.

તે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મરાઠીમાં નામો અન્ય ભાષા (અંગ્રેજી અથવા અન્યથા)માં લખેલા નામ કરતાં નાના અક્ષરોમાં ન હોવા જોઈએ. દુકાનોના નામ દેવનાગરી લિપિમાં અને મરાઠી ભાષામાં મોટા અક્ષરોમાં લખવા જોઈએ.

ગુરૂવારે પીએમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે, સીએમ ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે

દરમિયાન, તમને જણાવી દઈએ કે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડના મામલાઓ પર ચર્ચા કરવા માટે દેશના 30 મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેવાના છે. આ બેઠકમાં કોરોના સામે લડવા માટેના વધુ પગલાં પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :  કોરોનાને નાથવા સંવાદ : વડાપ્રધાન મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ