Maharashtra: એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ફરી કરશે ગઠબંધન ? મહારાષ્ટ્રના મંત્રીએ કહી આ વાત

|

Apr 07, 2023 | 3:52 PM

ચંદ્રકાંત પાટીલે નિવેદન આપ્યું હતું કે જો મને આદેશ મળશે તો હું બંનેને સાથે લાવવાની પહેલ કરીશ. તેમના આ નિવેદનથી ફરી એકવાર શિવસેના બે જૂથોની નજીક આવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને તે જ સમયે શિવસેના અને બીજેપીનું ફરી એક વખત ગઠબંધન થવાની સંભાવનાઓ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.

Maharashtra: એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ફરી કરશે ગઠબંધન ? મહારાષ્ટ્રના મંત્રીએ કહી આ વાત
Uddhav Thackeray-Eknath Shinde

Follow us on

મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ માટે એક થવું જોઈએ. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે નિવેદન આપ્યું હતું કે જો મને આદેશ મળશે તો હું બંનેને સાથે લાવવાની પહેલ કરીશ. તેમના આ નિવેદનથી ફરી એકવાર શિવસેના બે જૂથોની નજીક આવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને તે જ સમયે શિવસેના અને બીજેપીનું ફરી એક વખત ગઠબંધન થવાની સંભાવનાઓ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. શિંદે વતી શિવસેનાના નેતા શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકરે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

એકનાથ શિંદે મુખ્યમંત્રી બનીને મહારાષ્ટ્રને સુશાસન આપી રહ્યા છે: દીપક કેસરકર

સીએમ શિંદેના સમર્થક શિવસેનાના પ્રવક્તા દીપક કેસરકરે આ મુદ્દે કહ્યું કે તેમણે આ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, હું મોટા લોકોની સામે વધુ કહેવા માંગતો નથી. પીએમ મોદીના કહેવા પર પણ ઠાકરે સાથે ન આવ્યા. હું પોતે આનો સાક્ષી છું. હવે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનીને મહારાષ્ટ્રને સુશાસન આપી રહ્યા છે.

આ પણ વાંચો : Breaking news : ‘રોશની શિંદે મારપીટ કેસ’, આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળના ઠાકરે જૂથની કૂચને પોલીસે શરતી પરવાનગી આપી

સૂતા પહેલા આ પાણી પીવો, મશીન કરતા પણ ફાસ્ટ કામ કરશે પાચનતંત્ર
ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ

ઉદ્ધવ ઠાકરે પણ ઇચ્છતા હતા કે શિંદે મુખ્યમંત્રી બને. શરદ પવારના કહેવાથી તેમને મુખ્યમંત્રી બનવું પડ્યું. તો પછી હવે શું સમસ્યા છે. આજે તેમના મન મુજબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં છે. તેઓને તેના વિશે ખરાબ લાગવાનું કોઈ કારણ ન હોવું જોઈએ.

ચંદ્રકાંત પાટીલે TV9ને ફરીથી આપ્યો EXCLUSIVE જવાબ

આ મુદ્દે ફરી એકવાર ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વર્તમાન મંત્રી ચંદ્રકાંત પાટીલે અમારી સહયોગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મને નથી લાગતું કે ઉદ્ધવ ઠાકરેમાં એવી લવચીકતા છે જે રાજકારણમાં જરૂરી છે. રાજકારણમાં દરવાજા કાયમ માટે બંધ નથી હોતા. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે આવવું જોઈએ એવી અમને કોઈ લાચારી નથી. હિંદુત્વ ખાતર અમે માગણી કરી હતી કે તેઓ સાથે આવે તો સારું. તેમણે અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસ પરના તેમના નિવેદન બદલ માફી માંગવી જોઈએ, અમારા નેતા તેમને મોટા મનથી માફ કરશે.

PM મોદી પણ માફ કરી દેશે, જો ઉદ્ધવ પોતાની બાજુથી શરૂઆત કરે

ચંદ્રકાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે, શરદ પવારે ઘણા રાજકારણીઓની કારકિર્દીને બરબાદ કરી દીધી છે. માફીના મુદ્દે દીપક કેસરકરે પણ પુનરોચ્ચાર કર્યો હતો કે તેમને પૂરો વિશ્વાસ છે કે જો ઉદ્ધવ ઠાકરે બીજેપી સાથે કરેલા તેમના વચન બદલ માફી માંગે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને માફ કરી દેશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 3:52 pm, Fri, 7 April 23

Next Article