Maharashtra Breaking News : 19 વર્ષના પુત્રની જીદે તબાહ કર્યો પરિવાર! iPhone માટે પહાડ પરથી કૂદવા પહોંચ્યો, બચાવવા ગયેલા માતા-પિતાનું પણ મોત ! જુઓ Video

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આઇફોન મેળવવા માટે દીકરાના આગ્રહથી આખા પરિવારનો જીવ ગયો છે. પહાડ પરથી પડી જતાં પુત્ર સહિત તેના માતા-પિતાનું પણ મોત નીપજ્યું છે.

Maharashtra Breaking News : 19 વર્ષના પુત્રની જીદે તબાહ કર્યો પરિવાર! iPhone માટે પહાડ પરથી કૂદવા પહોંચ્યો, બચાવવા ગયેલા માતા-પિતાનું પણ મોત ! જુઓ Video
Chhatrapati Sambhajinagar Mountain Accident
Image Credit source: TV9 Gujarati
| Updated on: Aug 22, 2026 | 8:50 AM

શુક્રવાર 21 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક કમનસીબ ઘટના બની હતી. આ ઘટનાને કારણે જિલ્લામાં હંગામો મચી ગયો છે. દેવલાલી વિસ્તારમાં એક ઢાળવાળા પહાડ પરથી પડીને એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃતકના નામ કુણાલ ચાંદગુડે (19) મુરલીધર ચાંદગુડે (48) અને સંગીતા ચાંદગુડે છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પુત્ર કુણાલ ચાંદગુડેનો તેના માતા-પિતા સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. સૂત્રો અનુસાર, કુણાલ ચાંદગુડે આઇફોન ખરીદવા માંગતો હતો. અને તેના માટે તે આગ્રહ રાખ્યો હતો. આ મુદ્દે માતા-પિતા સાથે વિવાદ થયા બાદ તે ગુસ્સામાં આત્મહત્યા કરવા માટે ખવડ્યા પહાડ પર પહોંચ્યો હતો.

કોઈની વાત સાંભળવાની સ્થિતિમાં નહોતો કુણાલ

તેના માતા-પિતાએ તેને આ પહાડ પર ત્રણ કલાક સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે પહાડના ખૂબ ઊંચા ભાગ પર ઉભો હતો. દરમિયાન, આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક નાગરિકો અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. માતા-પિતા અને સ્થાનિક લોકોએ તેને ત્રણ કલાક સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડનું વાહન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પરંતુ તે પર્વત પરથી નીચે આવવા તૈયાર ન હતો.

આઇફોનના કારણે આખો પરિવાર પામ્યો નાશ

અંતે, પિતાએ ધીરજ ગુમાવી અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન બંને (કુણાલ અને તેના પિતા) પહાડ પરથી નીચે પડ્યા. કુણાલની ​​માતા પુત્ર અને પિતાના નીચે પડી જવાનો આઘાત સહન કરી શકી નહીં. ત્યારબાદ તે પણ પહાડ પરથી નીચે કૂદી પડી. આ ઘટનામાં ત્રણેયના મોત નિપજ્યા છે. આઇફોનની બેદરકારીને કારણે એક જ ક્ષણમાં એક આખો પરિવાર નાશ પામ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ત્રણેય લોકોના મોત થવાતી વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. પોલીસે માહિતી આપી છે કે ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો, Maharashtra Breaking News : શું દરેક રાજ્યમાં કામ કરવા માટે સ્થાનિક ભાષા આવડવી જરૂરી છે ? મહારાષ્ટ્રના ઓટો-ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠી ફરજિયાત, જાણો શું કહે છે બંધારણ !

Follow Us
Loading...
Unable to load recommendations.