Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા

|

Aug 07, 2021 | 10:41 AM

મહારાષ્ટ્રનો બાંદ્રા રાજ્યનો પ્રથમ કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. શુક્રવારે અહીં અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ઉપરાંત, શહેરમાં શુક્રવારે તપાસ માટે આપવામાં આવેલા તમામ 578 કેસ નેગેટિવ આવ્યા છે.

Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા
bhandara is the first district in maharashtra to become covid free

Follow us on

Maharashtra:  બાંદ્રા મહારાષ્ટ્રનો પહેલો જિલ્લો બની ગયો છે, જ્યાં કોરોના વાયરસનો એક પણ એક્ટિવ કેસ (Active Case) નથી. શુક્રવારે અહીં અંતિમ કોરોના દર્દીને રજા આપવામાં આવી છે. સાથે જ, શુક્રવારે પરીક્ષણ કરાયેલા 578 નમૂનાઓમાંથી એક પણ નમૂનો પોઝિટિવ (Positive) સામે આવ્યો નથી.

જિલ્લા કલેક્ટર(District Collector)  સંદીપ કદમે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના (Heath Department) કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે,બાંદ્રા જિલ્લામાં(Bandra district)  ગારડા બુદ્રુક ગામમાં ગત વર્ષે 27 એપ્રિલે પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો.

કોરોનાથી પ્રથમ મૃત્યુ 2 જુલાઈ 2020 ના રોજ થયું હતું

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ વર્ષે 12 એપ્રિલના રોજ જિલ્લામાં મહત્તમ 1596 નવા કેસ નોંધાયા હતા.ઉપરાંત, જિલ્લામાં 18 એપ્રિલના રોજ સૌથી વધુ 12,847 એક્ટિવ દર્દીઓ હતા. આપને જણાવવું રહ્યું કે,રાજ્યમાં 12 જુલાઈ 2020 ના રોજ જિલ્લામાં કોરોના વાયરસને (Corona Virus) કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. ઉપરાંત 1 મે ના રોજ જિલ્લામાં મહત્તમ 35 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 1133 દર્દીઓના મોત થયા છે.

જિલ્લા કલેક્ટર (District Collector) સંદીપ કદમે આપેલી માહિતી અનુસાર, ચાલુ વર્ષે 18 એપ્રિલના રોજ 12,847 એક્ટિવ દર્દીઓ સામે આવ્યા બાદ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો હતો.જ્યારે 22 એપ્રિલના રોજ મહત્તમ 1568 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

રિકવરી રેટ 98.11 ટકા સુધી પહોંચ્યો

જિલ્લામાં રિક્વરી રેટની વાત કરવામાં આવે તો, 19 એપ્રિલના રોજ રિકવરી રેટ 9Recovery Rate) ઘટીને 62.58 પર આવી ગયો હતો. પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા આ આંકડો 98.11 સુધી પહોંચ્યો છે. આપને જણાવવું રહ્યું કે, 12 એપ્રિલે કોરોના એક્ટિવ કેસનો દર સૌથી વધુ 55.73 ટકા હતો, જે હવે ઘટીને 0 પર આવી ગયો છે. સાથે જ જિલ્લામાં મૃત્યુદર 1.89 ટકા જેટલો નોંધાયો છે.

જ્યારે,અત્યાર સુધીમાં જિલ્લામાં 4,49,832 કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા છે. તેમાંથી 59,809 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. અને 58,776 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લાની 9.5 લાખ વસ્તીના 40 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 15 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mumbai: બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી

આ પણ વાંચો: Maharashtra: સાર્વજનિક સ્થળો પર થૂંકનારા 19000 હજાર લોકો ઝડપાયા, BMCએ 39 હજારના દંડની વસુલાત કરી

Next Article