મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર સ્ટાફ મેમ્બર કોરાના સંક્રમિત

|

Nov 05, 2021 | 4:59 PM

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના બે ડ્રાઈવર ઉપરાંત બે અન્ય સ્ટાફ મેમ્બરમાં પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે આ માહિતી આપી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર સ્ટાફ મેમ્બર કોરાના સંક્રમિત
Ajit Pawar (File Photo)

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તેમના બે ડ્રાઈવર સહિત ચાર સ્ટાફ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ અજીત પવારમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવારે (Sharad Pawar)આ માહિતી આપી છે. બે ડ્રાઈવરો ઉપરાંત બે અન્ય સ્ટાફ મેમ્બરમાં પણ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા અજીત પવારે પણ તપાસ કરાવી હતી.

 

અજિત પવારના ચાર સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત

ઉલ્લેખનીય છે કે અજિત પવારનો પરિવાર બારામતીમાં દિવાળીની ઉજવણી કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, જોકે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ((Ajit Pawar) આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યું હતુ કે અજિત પવારને કોવિડ-19ના લક્ષણો હોવાનું નિદાન થયું છે અને તેઓ તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. વધુમાં પવારે કહ્યું કે અજિત પવારના બે સ્ટાફ મેમ્બર અને બે ડ્રાઈવર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

શરદ પવારે સરકારની કામગીરીની પ્રશંસા કરી

એનસીપીના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) સરકાર દ્વારા કોરોના કેસની સંખ્યા ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે કોરોનાના કેસ ઘટાડવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વધુમાં તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ સ્થિતિ સારી થઈ જશે અને અર્થવ્યવસ્થા પણ પાટા પર આવી જશે.

 

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં પહેલા દરરોજ 10 હજારથી વધુ કેસ (Coroan Case) આવી રહ્યા હતા, તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1,141 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 6,615,299 કેસ સામે આવ્યા છે. જ્યારે 32 લોકોના મોત થયા છે. આ વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,40,345 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 1,163 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 6,456,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં કુલ 18,691 એક્ટિવ કેસ છે.

 

આ પણ વાંચો: Aryan Drugs Case: NCB ઓફિસ સમક્ષ હાજરી આપવા માટે પહોંચ્યો આર્યન ખાન, બોમ્બે હાઈકોર્ટે જામીન સમયે મૂકી હતી શરત

 

આ પણ વાંચો: Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં થાય હાજર, 7 દિવસનો માંગી શકે છે સમય

Next Article