મરાઠા આરક્ષણ: વધુ એકનો ગયો જીવ, જાલનામાં 14 વર્ષની છોકરીએ કરી આત્મહત્યા

મહારાષ્ટ્રમાં એક સપ્તાહમાં આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે. થોડા દિવસો પહેલા નાંદેડમાં 23 વર્ષીય યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે તેની સુસાઈડ નોટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. મરાઠા આરક્ષણની માંગને લઈને અત્યાર સુધીમાં ડઝનબંધ યુવાનોએ પોતાના જીવનું ગુમાવી ચુક્યા છે.

મરાઠા આરક્ષણ: વધુ એકનો ગયો જીવ, જાલનામાં 14 વર્ષની છોકરીએ કરી આત્મહત્યા
| Updated on: Nov 18, 2023 | 9:02 AM

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ માટે યુવાનો સતત પોતાના જીવન ગુમાવી રહ્યા છે. કેટલાક ઝેર ખાઈ રહ્યા છે તો કેટલાક ફાંસી લગાવીને આત્મહત્યા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ યુવાનો અનામત માટે મોતને ભેટી ચૂક્યા છે. તાજેતરનો મામલો મહારાષ્ટ્રના જાલનાનો છે, જ્યાં એક 14 વર્ષની છોકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેણે સુસાઈડ નોટમાં મરાઠા આરક્ષણનો ઉલ્લેખ કર્યો હતો.

“મરાઠા સમાજને આરક્ષણ મળવું જોઈએ”

પોલીસને આ સુસાઈડ નોટ મળી આવી છે. તેમાં લખ્યું છે કે, મરાઠા સમાજને આરક્ષણ મળવું જોઈએ અને મારા શબ્દો વ્યર્થ ન જવા જોઈએ. પોલીસે જણાવ્યું કે આ સગીર છોકરીએ ગુરુવારે સોમેશ્વર વિસ્તારમાં પોતાના ઘરના એક રૂમમાં ફાંસી લગાવી લીધી. જાણ થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.

એક અઠવાડિયામાં આત્મહત્યાનો આ બીજો કિસ્સો

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં આત્મહત્યાનો આ બીજો મામલો છે. થોડા દિવસો પહેલા નાંદેડમાં 23 વર્ષીય યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે તેની સુસાઈડ નોટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેમાં લખ્યું હતું કે, આ મારા માટે સરકારી નોકરીનો પ્રશ્ન છે. ‘એક મરાઠા, લાખ મરાઠા’. આ મામલે ભાગ્યનગર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મરાઠા આંદોલન ઘાતક બની ગયું

થોડા દિવસો પહેલા મરાઠા આરક્ષણ આંદોલને હિંસક વળાંક લીધો હતો. આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ અંગે વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. મનોજ જરાંગે પાટીલે ઉપવાસ શરૂ કર્યા બાદ આ આંદોલને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જરાંગેની ભૂખ હડતાળ પછી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે તે મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યું, જેથી તેઓ OBC ક્વોટાનો લાભ મેળવી શકે.

છેલ્લી મુદત 24મી ડિસેમ્બર સુધીની

તમને જણાવી દઈએ કે મરાઠા સમુદાય, જે મહારાષ્ટ્રની 30 ટકાથી વધુ વસ્તી ધરાવે છે, તે તેના સભ્યો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરી બંનેમાં અનામતની માંગ કરી રહ્યો છે. મનોજ જરાંગે રાજ્ય સરકાર માટે 24મી ડિસેમ્બર સુધી અનામતની જાહેરાત કરવાની નવી સમયમર્યાદા નક્કી કરી છે.

આ પણ વાંચો: મરાઠા આરક્ષણની માંગ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા અજિત પવાર, પ્રફુલ પટેલ પણ રહ્યા હાજર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:02 am, Sat, 18 November 23