Maharashtra: હવે મહારાષ્ટ્રના 300 મંદિરોમાં પણ લાગુ થશે ડ્રેસ કોડ, મંદિર મહાસંઘે કેમ લીધો આવો નિર્ણય?

હાલમાં નાગપુરના ચાર મંદિરોમાં આ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. નજીકના ભવિષ્યમાં પ્રથમ મહિનામાં આ ડ્રેસ કોડ નાગપુરના 25 મંદિરો અને રાજ્યના 300 થી વધુ મંદિરોમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં પણ ડ્રેસ કોડ લાગુ છે.

Maharashtra: હવે મહારાષ્ટ્રના 300 મંદિરોમાં પણ લાગુ થશે ડ્રેસ કોડ, મંદિર મહાસંઘે કેમ લીધો આવો નિર્ણય?
Temple Dress Code
| Edited By: | Updated on: May 27, 2023 | 12:27 PM

Nagpur: આજથી (27 મે, શનિવાર) મહારાષ્ટ્રની ઉપ રાજધાની નાગપુરના 4 મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ થઈ ગયો છે. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે જાહેરાત કરી છે કે હવે નાગપુરના 25 મંદિરો અને રાજ્યભરના 300 મંદિરોમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘેના આ નિર્ણય મુજબ હવે અભદ્ર, ઉશ્કેરણીજનક અને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. શરદ પવારની પાર્ટી એનસીપીએ (NCP) આ નિર્ણયનો વિરોધ કર્યો છે. થોડા દિવસો પહેલા તુળજાભવાની મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ બાદ આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

300થી વધુ મંદિરોમાં આ ડ્રેસ કોડ લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવશે

હવે મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે નિર્ણય લીધો છે કે પહેલા મહિનામાં નાગપુરના 25 મંદિરો અને રાજ્યભરના 300થી વધુ મંદિરોમાં આ ડ્રેસ કોડ લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ પછી ધીમે ધીમે તમામ મંદિરોમાં તેને લાગુ કરવામાં આવશે. હાલમાં, નાગપુરના 4 મંદિરોના નામ જ્યાં ડ્રેસ કોડ લાગુ છે – ધનતોલી ખાતે ગોપાલ કૃષ્ણ મંદિર, બેલોરી ખાતે સંકટમોચન પંચમુખ હનુમાન મંદિર, કોનહોલીબારા ખાતે બૃહસ્પતિ મંદિર અને હિલટોપ પર દુર્ગામાતા મંદિર.

આ પણ વાંચો : Maharashtra: સમૃદ્ધિ હાઈવેનો બીજો તબક્કો શરૂ, માત્ર 6 કલાકમાં નાસિકથી નાગપુર પહોંચી શકાશે

મંદિરમાં પ્રવેશના નિયમો પ્રવેશદ્વાર પર લખેલા છે

આ મંદિરોના પ્રવેશદ્વાર પર લખવામાં આવ્યું છે – તમામ મહિલાઓ અને પુરૂષોએ શિષ્ટ વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું જોઈએ. ઉશ્કેરણીજનક, અસંસ્કારી, અભદ્ર કપડાં પહેરીને પ્રવેશ કરવો નહીં. ટૂંકા કપડા, હાફ પેન્ટ, બરમુડા, મીની સ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલા જીન્સ વગેરે પહેરીને આવે ત્યારે બહારથી જ દર્શન કરી સહકાર આપે.

રાજ્યની સરકારી કચેરીઓમાં પણ ડ્રેસ કોડ લાગુ, તો પછી મંદિરોમાં કેમ નહીં?

મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંદિરની પવિત્રતા જાળવવા માટે મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવો જરૂરી છે. અસંસ્કારી, અભદ્ર વસ્ત્રો મંદિરોમાં ચાલશે નહીં અને અંગપ્રદર્શન સહન કરવામાં આવશે નહીં. એટલા માટે આ નિયમ જાહેર કરવામાં આવ્યો છે.

હાલમાં નાગપુરના ચાર મંદિરોમાં આ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. નજીકના ભવિષ્યમાં પ્રથમ મહિનામાં આ ડ્રેસ કોડ નાગપુરના 25 મંદિરો અને રાજ્યના 300 થી વધુ મંદિરોમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં પણ ડ્રેસ કોડ લાગુ છે. તો પછી મંદિરોમાં પણ ડ્રેસ કોડ કેમ લાગુ ન કરવો?

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો