Maharashtra News : લાઠીચાર્જની કાર્યવાહી પર અફસોસ છે, હું માફી માંગુ છું… જાલનામાં હિંસા પર બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના જાલનામાં હિંસાની ઘટના પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેમણે જાલનામાં પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા બદલ માફી માંગી છે. આ સાથે તેમણે ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો છે.

Maharashtra News : લાઠીચાર્જની કાર્યવાહી પર અફસોસ છે, હું માફી માંગુ છું... જાલનામાં હિંસા પર બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ
Deputy CM Devendra Fadnavis
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:05 AM

મહારાષ્ટ્રના જાલનામાં હિંસાનો મામલો જોર પકડી રહ્યો છે. હિંસા અંગે પોલીસે અત્યાર સુધીમાં 350 થી વધુ લોકો સામે કેસ દાખલ કર્યો છે. સરકારે જાલના જિલ્લાના પોલીસ અધિક્ષક તુષાર દોશીને રજા પર મોકલી દીધા છે. તેમની જગ્યાએ શૈલેષ બલકવાડેને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સોમવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટના સાથે જોડાયેલી માહિતી આપી હતી.

આ પણ વાંચો : Jalna Protest: આગ, તોડફોડ અને હંગામો, મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણ મુદ્દે બબાલ, 360 લોકો સામે નોંધાઈ FIR

ફડણવીસે કહ્યું કે, આજે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં સંભાજી રાજે, ઉદયનરાજે અને મરાઠા સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર હતા. નાયબ મુખ્યમંત્રીએ જાલનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલિંગની કાર્યવાહી અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું કે, હું મહારાષ્ટ્ર સરકારના પાછલા કાર્યકાળ દરમિયાન રાજ્યનો ગૃહ પ્રધાન હતો, મરાઠા સંગઠનો દ્વારા 2000 થી વધુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રી તરીકે જાલનામાં જે કંઈ પણ થયું તેના માટે હું માફી માંગુ છું. તેમણે કહ્યું કે હવે આ ઘટનાને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર મામલા પર રાજનીતિ થઈ રહી છે.

ડેપ્યુટી સીએમએ કહ્યું- સરકારે લાઠીચાર્જની સૂચના આપી નથી

તેમણે કહ્યું કે, જાલનામાં થયેલી હિંસા અંગે રાજ્ય સરકારની વિરુદ્ધ એક નિવેદન આપવામાં આવી રહ્યું છે અને એ કહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે રાજ્ય સરકારે લાઠીચાર્જ કરવાની સૂચના આપી હતી, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકાર વતી આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ એસપી સ્તરના અધિકારીઓ આપી શકે છે.

ફડણવીસે ઉદ્ધવ પર વળતો પ્રહાર કર્યો

બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તરફથી મરાઠા આરક્ષણ માટે વટહુકમ લાવવાની માગ પર દેવેન્દ્ર ફડણવીસે વળતો પ્રહાર કર્યો અને કહ્યું, હું તેમને પૂછવા માંગુ છું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓ આ સમગ્ર મુદ્દે મૌન કેમ હતા? અમે મરાઠા વિદ્યાર્થીઓ અને લોકો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. મરાઠા સમાજના લોકો માટે પણ બજેટમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. મરાઠા સમુદાયના કલ્યાણ માટે જે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે તે તમામ મહાયુતિ સરકાર હેઠળ લેવામાં આવ્યા છે.

સીએમ શિંદેએ કહ્યું- જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે

તે જ સમયે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રદર્શનકારીઓને ધીરજ રાખવાની વિનંતી કરી અને કહ્યું કે, અમે બધા તમારી સાથે છીએ. આંદોલનકારીઓએ અનામત પર રાજનીતિ કરનારાઓથી સાવધાન રહેવું જોઈએ. જાલનામાં પોલીસ વિભાગમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. લાઠીચાર્જની તપાસ કરવામાં આવી રહી છે અને તેના માટે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:05 am, Wed, 6 September 23