શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો

આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.  પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અણ્ણા હજારે તણાવમાં છે.

શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:38 PM

મહારાષ્ટ્રમાં આ વખતે પણ અનશન સાથે વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેનું (Anna Hazare) નામ સીધું જોડાય રહ્યું છે. આ વખતે પણ અન્નાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અન્ના હજારે તણાવમાં છે. આ ઉપવાસ એટલા માટે થવા જઈ રહ્યા છે કારણ કે અન્ના હજારે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યાની ફરિયાદ છે. પરિસ્થિતિને જોતા, જિલ્લા વહીવટીતંત્રે સોમવાર (11 એપ્રિલ) થી રાલેગણસિદ્ધિમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે તેમના જ જિલ્લાના કેટલાક કાર્યકરોના ઉપવાસના આગ્રહને કારણે અન્ના હજારે ટેન્શનમાં આવી ગયા છે.

આ પણ વાંચો :  આજથી ખાનગી કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકશે, જાણો રસીકરણ અભિયાન સાથે જોડાયેલી 10 મોટી બાબતો
Follow Us