મરાઠા EWS ક્વોટા પર વિવાદ યથાવત, ભાજપે હાઈકોર્ટના આદેશ માટે ઠાકરે સરકારને જવાબદાર ઠેરવી

|

Jul 30, 2022 | 2:32 PM

પડલકરે આક્ષેપ કર્યો હતો કે ઠાકરે સરકાર (Thackeray Government) હંમેશા ગરીબ મરાઠાઓ કરતાં પોતાના સંબંધીઓને પ્રોત્સાહન આપવાનું પસંદ કર્યું છે. હંમેશા ખોટા વચનો આપીને સમાજને ગેરમાર્ગે દોર્યો છે.

મરાઠા EWS ક્વોટા પર વિવાદ યથાવત, ભાજપે હાઈકોર્ટના આદેશ માટે ઠાકરે સરકારને જવાબદાર ઠેરવી
Devendra Fadnavis & Uddhav Thackeray (File Image)

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે (Gopichand Padalkar) બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) તાજેતરના નિર્ણય માટે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ઠેરવી છે, જેમાં મરાઠા સમુદાયના લાયક ઉમેદવારોને વર્ષ 2020-21 માટે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા હેઠળ સિવિલ જોબ્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશના લાભો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. EWS ક્વોટા એવા લોકો માટે લાગુ પડે છે કે જેઓ અન્ય કોઈપણ ક્વોટા હેઠળ આવરી લેવામાં આવતા નથી અને જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 8 લાખથી ઓછી છે.

કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, પડલકરે કહ્યું કે તેમણે અગાઉની મહા વિકાસ આઘાડી સરકારને ચેતવણી આપી હતી કે મરાઠા સમુદાયને પૂર્વવર્તી અસરથી EWS હેઠળ આરક્ષણ આપી શકાય નહીં. પાડલકરે શરદ અને અજિત પવાર પર કટાક્ષ કરતા કહ્યું કે, હવે કોર્ટે ઠાકરે-પવાર સરકારના નિર્ણયને બાજુ પર રાખ્યો છે. આ માત્ર કાકા-ભત્રીજાની માનસિકતા દર્શાવે છે કે તેઓ ગરીબ મરાઠાઓનું ભલું ઇચ્છતા નથી.

MVA નેતાઓ અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે: ભાજપ

ભાજપના નેતાએ કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. જેમણે એકનાથ શિંદેને રાજ્યના સર્વોચ્ચ પદ પર લાવવાની તક આપી. તેમણે કહ્યું કે, શિંદે એક મરાઠા પરિવારમાંથી આવે છે અને આજે રાજ્યના મુખ્યમંત્રી છે. આનાથી મહા વિકાસ આઘાડીના ઘણા નેતાઓ પરેશાન છે, જેઓ અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ઠાકરેને પોતાના સંબંધીઓને જ પ્રમોટ કરવાનું પસંદ હતું: ભાજપ

પડલકરે આક્ષેપ કર્યો હતો કે ઠાકરે સરકાર હંમેશા ગરીબ મરાઠાઓ કરતાં પોતાના સંબંધીઓને પ્રોત્સાહન આપવાનું પસંદ કર્યું છે. હંમેશા ખોટા વચનો આપીને સમાજને ગેરમાર્ગે દોર્યો છે. 27 જૂન, 2019ના રોજ, હાઈકોર્ટે મરાઠા સમુદાયને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અધિનિયમ, 2018 હેઠળ અનામત આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ પછી, સરકાર 23 ડિસેમ્બર, 2020 ના રોજ EWS માટે પ્રસ્તાવ લઈને આવી. જો કે, મે 2021 માં, SC એ મરાઠા ક્વોટા રદ કર્યો.

Next Article