Maharashtra: કેન્દ્રએ આગામી બે વર્ષ સુધી રાજ્યોને આપવી જોઈએ નાણાકીય સહાય, ગણતંત્ર દિવસ પર ડેપ્યુટી સીએમ અજિત પવારે આપ્યુ નિવેદન

પવારે કહ્યું કે જો સરકાર આ મદદ બંધ કરશે તો અમારે મહારાષ્ટ્રમાં જીએસટી કલેક્શનની માહિતીની તપાસ કરવી પડશે. તેમણે કહ્યું કે, 'હું મહેસૂલ વસૂલાત અંગે જાણકારી લેવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યો છું.'

Maharashtra: કેન્દ્રએ આગામી બે વર્ષ સુધી રાજ્યોને આપવી જોઈએ નાણાકીય સહાય, ગણતંત્ર દિવસ પર ડેપ્યુટી સીએમ અજિત પવારે આપ્યુ નિવેદન
Maharashtra Deputy CM Ajit Pawar (File Image)
| Edited By: | Updated on: Jan 26, 2022 | 4:52 PM

મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે (Deputy Chief Minister Ajit Pawar) બુધવારે જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયા બાદથી કેન્દ્ર સરકાર રાજ્યોને જે નાણાકીય સહાય આપી રહી છે. તે તેણે કોરોના વાયરસ મહામારીને જોતા ઓછામાં ઓછા બે વર્ષ સુધી ચાલુ રાખવી જોઈએ. પ્રજાસત્તાક દિવસના અવસરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પવારે પત્રકારોને જણાવ્યું હતું કે અન્ય રાજ્યોના નાણામંત્રીઓએ પણ આવી જ માગણી કરી છે. પવાર પાસે રાજ્યના નાણામંત્રીની પણ જવાબદારી છે. તેમણે કહ્યું, ‘સામાન્ય બજેટ પર અમારી નજર છે. પાંચ વર્ષ પહેલા જ્યારે GST સિસ્ટમ શરૂ કરવામાં આવી ત્યારે રાજ્યોને કેન્દ્ર તરફથી નિશ્ચિત રકમ મળતી હતી પરંતુ હવે તે બંધ થઈ જશે. અમે કેન્દ્રને અપીલ કરીએ છીએ કે મહામારીની સ્થિતિને જોતા આ મદદ બીજા બે વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે.’

પવારે કહ્યું કે જો સરકાર આ મદદ બંધ કરશે તો અમારે મહારાષ્ટ્રમાં જીએસટી કલેક્શનની માહિતીની તપાસ કરવી પડશે. તેમણે કહ્યું કે, ‘હું મહેસૂલ વસૂલાત અંગે જાણકારી લેવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યો છું.’

અઢી મહિના પછી જાહેર કાર્યક્રમમાં જોડાયા સીએમ

73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યના લગભગ તમામ શહેરોમાં શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો છે. એક તરફ, સર્જરીના લગભગ અઢી મહિના પછી, સીએમ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં દેખાયા, તો બીજી તરફ પુણેમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે ધ્વજ ફરકાવ્યો. નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં પણ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જો કે, કોવિડ મહામારીના પ્રકોપને ધ્યાનમાં રાખીને, આ વખતે યુનિયન હેડક્વાર્ટરમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.

સમારંભ દરમિયાન આત્મદાહનો પ્રયાસ

બીડ જિલ્લામાં એક વ્યક્તિએ સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેની સામે આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે, સતારા જિલ્લામાં પણ એક યુવતીએ જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને જગ્યાએ આ ઘટના ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન બની હતી. જો કે સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરનારાઓને યોગ્ય સમયે પકડી લીધા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો :  Maharashtra Corona Cases: કોરોના બન્યો કાળ, એક જ દિવસમાં 86 મોતથી ચિંતા, મુંબઈમાં ઓછા કેસ આવતા રાહત