Breaking News: મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટના, વિશાખાપટ્ટનમથી આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું, જુઓ Video

|

Sep 14, 2023 | 7:53 PM

મુંબઈ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે દુર્ઘટના સર્જાઈ છે. વિશાખાપટ્ટનમથી આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું હોવાનો બનાવ બન્યો છે. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઈટ વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહી હતી.

Breaking News: મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટના, વિશાખાપટ્ટનમથી આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું, જુઓ Video

Follow us on

મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ છે. એક ખાનગી વિમાન રનવે પર લપસી ગયું હતું. લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. વરસાદને કારણે ઉતરાણ સમયે વિઝિબિલિટી 700 મીટર હતી. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. 2 મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઈટ વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહી હતી. આ અકસ્માત રનવે 27 પર થયો હતો.

એરપોર્ટ હાલમાં કામગીરી માટે બંધ છે અને નિરીક્ષણ હેઠળ છે. VSR Ventures Learjet 45 એરક્રાફ્ટ VT-DBL ફ્લાઇટ વિઝાગ (વિશાખાપટ્ટનમ) થી મુંબઈ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગઈ હતી. આ અકસ્માત સાંજે 5.02 કલાકે થયો હતો. આ વિમાન ભોપાલ સ્થિત કંપની દિલીપ બ્લિડકોનનું છે.

VSR વેન્ચર્સ લીઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર ઉતરતી વખતે રનવે પરથી સરકી ગયું હતું, એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું હતું. ડીજીસીએના જણાવ્યા અનુસાર ભારે વરસાદ બાદ ખરાબ વિઝિબિલિટીના કારણે પ્લેન રનવે પરથી સરકી ગયું હતું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:24 pm, Thu, 14 September 23

Next Article