Maharashtra News: પુના જિલ્લાની ભીમા નદીમાંથી 7 દિવસમાં એક જ પરિવારના 7 મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ

|

Jan 25, 2023 | 10:31 AM

મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. જે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Maharashtra News: પુના જિલ્લાની ભીમા નદીમાંથી 7 દિવસમાં એક જ પરિવારના 7 મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ
Bhima river soaked in blood 7 dead bodies of the same family were found in 7 days an atmosphere of flutter among the locals

Follow us on

મહારાષ્ટ્રના પુના જિલ્લામાં ભીમા નદીના કિનારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સાત સભ્યોના મૃતદેહ પૂણે શહેરથી લગભગ 45 કિમી દૂર દાઉદ (Daund) તાલુકાના યાવત ગામની સીમમાં ભીમા નદીના પુલ પાસે મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી ચાર 18-21 જાન્યુઆરી અને ત્રણ મંગળવારે મળી હતી. સાતેય મૃતકો એક જ પરિવારના હતા, જેમાં એક વૃદ્ધ દંપતી, તેમની પુત્રી, જમાઈ અને ત્રણ પૌત્રોની લાશ મળી હતી.

આ પણ વાંચો : Mumbai News: મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની ભવ્ય રથયાત્રા આ માર્ગે નગર પ્રદક્ષિણા કરશે

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. જે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે પોલીસ આત્મહત્યા સહિત તમામ એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ ભીમા નદીમાંથી મૃતદેહો બહાર આવવાના સમાચારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

 

માછીમારોની જાળમાં ફસાઈ લાશ, 7 દિવસમાં 7 મૃતદેહ મળી આવ્યા

મીડિયા રિપોર્ટસ અનુસાર, ભીમા નદીમાંથી મૃતદેહો શોધવાની પ્રક્રિયા સતત 7 દિવસથી ચાલી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે 18 જાન્યુઆરીના રોજ કેટલાક સ્થાનિક માછીમારો ભીમા નદીમાં જાળ નાખીને માછીમારી કરી રહ્યા હતા. ત્યારે જ મહિલાના મૃતદેહને સ્પર્શ થયો હતો. માછીમારોએ તેની જાણ પોલીસને કરતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને NDRFની ટીમ બોલાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. જે બાદ 20 જાન્યુઆરીએ એક પુરુષની, 21 જાન્યુઆરીએ ફરી એક મહિલા અને 22 જાન્યુઆરીએ ફરી એક પુરુષની લાશ બહાર કાઢવામાં આવી હતી. પાંચ દિવસ વીતી ગયા પછી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો કે 24 જાન્યુઆરીએ ફરી એકવાર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. ચોકાવનારી ઘટના એ છે કે સાતેય મૃતકો એક જ પરિવારના હતા.

Next Article