Aryan Drugs Case : આર્યન કેસના સાક્ષી ફ્લેચર પટેલ પર ઉઠ્યા સવાલ, શું સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે ?

|

Oct 16, 2021 | 4:10 PM

NCP નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને ફ્લેચર પટેલ નામની વ્યક્તિ સમીર વાનખેડેની નજીક હોવાનો દાવો કર્યો છે. ફ્લેચર પટેલ આર્યન કેસમાં એનસીબીના સાક્ષી પણ હોવાથી હાલ મામલો વણસ્યો છે.

Aryan Drugs Case : આર્યન કેસના સાક્ષી ફ્લેચર પટેલ પર ઉઠ્યા સવાલ, શું સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે ?
Aryan Drugs Case

Follow us on

Aryan Khan Drug Case :  બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના (ShahRukh Khan) પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે. આર્યનની ધરપકડ બાદ સામે આવેલી તસવીરોમાં  ભાજપના સ્થાનિક નેતાઓ મનીષ ભાનુશાલી સાથે ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પણ જોવા મળી રહ્યા છે.

નવાબ મલિકે ફ્લેચર પટેલ સમીર વાનખેડેના નજીકના હોવાનો દાવો કર્યો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને ફ્લેચર પટેલ નામની વ્યક્તિ સમીર વાનખેડેની નજીક હોવાનો દાવો કર્યો છે. ફ્લેચર પટેલ આર્યન કેસમાં એનસીબીના સાક્ષી પણ હોવાથી હાલ NCB પર સવાલ ઉભા થઈ રહ્યા છે. નવાબ મલિકે સમીર વાનખેડે અને તેની પત્ની સાથે ફ્લેચર પટેલની ઘણી તસવીરો શેર કરી છે અને દાવો કર્યો છે કે તે તેમના પરિવારની નજીક છે.

નવાબ મલિકે ટ્વિટ કરીને ઉઠાવ્યા સવાલો

નવાબ મલિકે ટ્વિટ કરીને પૂછ્યું કે – ફ્લેચર પટેલ કોણ છે ? #NCB અને તેના એક અધિકારી (NCB Officer) સાથે કેવી રીતે સંબંધિત છે ? ટૂંક સમયમાં અહીં વિગતો જાહેર કરવામાં આવશે. અને અન્ય એક ટ્વિટમાં આર્યન કેસના પંચનામાનો ફોટો શેર કર્યો જેમાં ફ્લેચર પટેલ સાક્ષી તરીકે નોંધાયેલા છે.

નવાબ મલિકના જમાઈ નિશાના પર

અગાઉ નવાબ મલિકે (Nawab Malik) આરોપ લગાવ્યો હતો કે, તેમના જમાઈ સમીર ખાનને ભાજપના ઈશારે નકલી ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ને તેના કબજામાંથી કોઈ પ્રતિબંધિત માદક દ્રવ્યો મળ્યા ન હોવા છતા તેને આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. 9 જાન્યુઆરીએ, સમીરના ઓળખીતા ફર્નિચરવાલા પાસેથી સાડા સાત ગ્રામ હર્બલ તમાકુ જપ્ત કરવામાં આવ્યુ હતુ. ફોરેન્સિક તપાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી, જ્યારે NCB એ 200 કિલો ગાંજો જપ્ત કરવાનો દાવો કર્યો હતો.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”

Published On - 4:05 pm, Sat, 16 October 21

Next Article