26/11 Mumbai Attack : જાબાઝ સૈનિક ! ભારતીય સેના સાથે આ અમેરિકન સૈનિકે 157 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા

|

Nov 26, 2021 | 4:26 PM

આ હુમલામાં કેટલાક બહાદુર સૈનિકો અને પોલીસ અધિકારીઓએ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોને બચાવ્યા હતા. આવા જ એક હીરો કેપ્ટન રવિ ધર્નિધિરકા (Ravi Dharnidharka) હતા. જેમણે તે હુમલા દરમિયાન તાજ હોટેલમાં ફસાયેલા 157 લોકોના જીવ બચાવ્યા હતા.

26/11 Mumbai Attack : જાબાઝ સૈનિક ! ભારતીય સેના સાથે આ અમેરિકન સૈનિકે 157 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા
26/11 Mumbai Attack

Follow us on

26/11 Mumbai Attack: આજે 26/11 મુંબઈ હુમલાને 13 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2008માં આ દિવસે મુંબઈની તાજ હોટલ પર આતંકવાદી હુમલો થયો હતો. દરિયાઈ માર્ગે આવેલા પાક આતંકવાદીઓએ (Terrorist) 166 લોકોની હત્યા કરી હતી. જ્યારે આ હુમલામાં લગભગ 600 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

આ હુમલામાં કેટલાક બહાદુર સૈનિકો અને પોલીસ અધિકારીઓએ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોને બચાવ્યા હતા. આવા જ એક હીરો કેપ્ટન રવિ ધર્નિધિરકા (Ravi Dharnidharka) હતા. જેમણે તે હુમલા દરમિયાન તાજ હોટેલમાં ફસાયેલા 157 લોકોના જીવ બચાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

હીરો કેપ્ટન રવિ ધર્નિધિરકા કોણ છે?

રવિ ધર્નિધિરકા મૂળ ભારતીય (Indian) છે. અમેરિકામાં રહેતો રવિ પોતાની રજા ગાળવા માટે ભારત આવતો હતો. તમને જણાવી દઈએ કે તેમનો પરિવાર મુંબઈના બધવાર પાર્ક પાસે રહે છે. ઉપરાંત તેના અન્ય કેટલાક સંબંધીઓ પણ મુંબઈમાં રહે છે, વર્ષ 2004થી 2008 સુધી રવિ ઈરાકી શહેર ફલુજાહમાં તૈનાત હતો. આ દરમિયાન તેઓ ચાર વર્ષ સુધી ભારત આવી શક્યા ન હતા. તે ઈરાક મિશન (Iraq Mission) પૂર્ણ કર્યા બાદ તેના પરિવારને મળવા આવ્યો હતો.

 

હુમલા સમયે જાબાઝ સૈનિક તાજ હોટેલમાં હતો

વર્ષ 2008માં લાંબા સમય બાદ તે ફરી મુંબઈ આવ્યો હતો. હુમલાના દિવસે તે મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં તેના પિતરાઈ ભાઈ અને કાકા સાથે ડિનર કરવા માટે પહોંચ્યો હતો. ભારતીય અને વિદેશી લોકો તેમના પરિવાર સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી રહ્યા હતા. ત્યારબાદ એકાએક હોટલની નીચેથી ગોળીબાર અને ચીસોનો અવાજ શરૂ થયો.

 

લોકો માટે ઢાલ બન્યા અમેરિકન સૈનિક

રવિ કંઈ સમજે તે પહેલા તેના મિત્રનો ફોન આવ્યો કે આતંકવાદીઓએ તાજ હોટેલ (Taj Hotel) પર હુમલો કર્યો છે. રવિ માટે આ દ્રશ્ય નવું નહોતું. તેથી તેણે ખૂબ જ સમજદારીપૂર્વક પગલા લેવાનું વિચાર્યું. તેણે ત્યાં હાજર લોકોને કહ્યું કે તમારે જાતે જ બચવું પડશે. પછી તેની નજર રેસ્ટોરન્ટના એક દરવાજા પર પડી. જે દરવાજો કાચનો હતો, આતંકવાદીઓ દરવાજાની બીજી બાજુથી લોકો પર ગ્રેનેડ ફેંકી શકતા હતા.

 

 

રવિએ ત્યાં હાજર તમામ લોકોને બીજા હોલમાં ખસેડ્યા. બાદમાં હોલનો દરવાજો બંધ કરી દીધો. જેથી આંતકવાદીઓ ત્યાં ન ઘુસી શકે. નીચેના માળે આગ લાગતા તેણે બધા લોકોને પાછળની સીડી દ્વારા સલામત રીતે નીચે પહોંચાડ્યા. આમ એક જાંબાઝે પોતાની સૂઝબુઝથી 157થી વધુ લોકોનો જીવ બચાવ્યો.

 

 

આ પણ વાંચો : 26/11 મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે

 

આ પણ વાંચો : Mumbai Attack : પાકિસ્તાનની નાપાક હરકત ! 26/11 હુમલાના સુત્રધારોને 13 વર્ષ બાદ પણ છાવરી રહ્યુ છે પાકિસ્તાન

Published On - 4:25 pm, Fri, 26 November 21

Next Article