
અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ઘણીવાર સાપ તેના દરમાંથી બહાર આવે છે કારણ કે જમીનની અંદરનું તાપમાન વધી જાય છે. જેનાથી બચવા માટે સાપ સામાન્ય રીતે ઠંડી જગ્યાની શોધમાં માણસોની વસ્તી વચ્ચે પહોંચી જાય છે. પરંતુ વાસ્ત શાસ્ત્રમાં સાપના આવવાને માત્ર કુદરતી ઘટના ન માનવી જોઈએ. તેનાથી ઘરની ઊર્જા અને વાસ્તુ દોષ સાથે જોડીને જોવામાં આવે છે.
વાસ્તુ અનુસાર સાપનું ઘરમાં આવવુ રાહુ અને કેતુ ગ્રહના પ્રભાવને દર્શાવે છે. જો તમારા ઘરમાં રાહુનો દોષ છે તો આવી જીવ ઘર તરફ આકર્ષિત થઈ શકે છે. વિશેષ રીતે ઘરના નેઋત્ય ખૂણો જો સ્વચ્છ ન હોય, ત્યાં ગંદકી રહેતી હોય તો આ રાહુને સક્રિય કરી શકે છે. જે સાપના આગમનનું કારણ બની શકે છે.
જો સાપ વારંવાર ઘરમી ઉત્તર-પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પ્રવેશ કરે છે તો એ ઘરમાં અસ્થિરતા અને માનસિક તણાવનો સંકેત હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર નીચે તિરાડ અથવા તૂટેલો ઉમરો પણ નકારાત્મ ઊર્જા અને સરકીને આવનારા સાપ જેવા જીવોને નિમંત્રણ આપે છે.
પૌરાણિક માન્યતા અનુસારપ સાપનો સંબંધ આપણા પૂર્વજો સાથે જોડીને પણ જોવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને સપનામાં વારંવાર સાપ દેખાય કે ગરમીમાં અચાનક ઘરના આંગણામં સાપ આવી જાય તો આ પિતૃ દોષ કે કુંડલીમાં કાલસર્પ દોષનો સંકેત હોઈ શકે છે. આ એ વાત તરફ ઈશારો કરે છે કે ઘરમાં કોઈ વિશેષ પૂજા કે શુદ્ધિની જરૂર છે.
ગરમીમાં સાપોને ઘરથ દૂર રાખવા અને વાસ્તુ દોષને શાંત કરવા માટે આ ઉપાય કરી શકો છે.