Kedarnath Yatra 2023: જો તમે પહેલી વખત કેદારનાથ જઈ રહ્યા છો તો આ અહેવાલ ખાસ વાંચો

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે સરકારે અનેક મહત્વની યોજનાઓ પર કામ શરૂ કર્યું છે.

Kedarnath Yatra 2023: જો તમે પહેલી વખત કેદારનાથ જઈ રહ્યા છો તો આ અહેવાલ ખાસ વાંચો
| Edited By: | Updated on: Mar 26, 2023 | 5:04 PM

કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ યાત્રા 25 એપ્રિલથી શરૂ થશે. દરમિયાન, ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજે ઈન્ફલ્યુએન્ઝા-એ અને કોરોનાના સબ-વેરિઅન્ટ H3N2ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તીર્થયાત્રાનું આયોજન કરી રહેલા પ્રવાસીઓને ચેતવણી આપી છે. માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગની સલાહ આપવામાં આવી છે, જેથી મુસાફરીમાં કોઈ અડચણ ન આવે.

આજે અમે તમને કેદારનાથ યાત્રા સાથે જોડાયેલી તમામ માહિતી આપીશું, જો તમે પણ પહેલીવાર આ યાત્રા પર જવા માંગતા હોવ તો આ સમાચાર તમારા કામમાં આવી શકે છે. તમે કેદારનાથ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી કરાવી શકો છો.

આ પણ વાંચો : Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો

આ રીતે કરાવો નોંધણી

એપ્રિલ મહિનામાં ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામના પોર્ટલ 25 એપ્રિલ અને 27 એપ્રિલે ખુલશે. આ વખતે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગે નોંધણીને લઈને ચાર વિકલ્પો આપ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ટુરીઝમ વિભાગની વેબસાઈટ  registrationandtouristcare.uk.gov.in વોટ્સએપ નંબર 8394833833, ટોલ ફ્રી નંબર 1364 અને મોબાઈલ એપ ટુરીસ્ટકેર ઉત્તરાખંડ દ્વારા કરી શકાશે. સવારે 7 વાગ્યાથી વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વોટ્સએપ નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચારધામ માટે ભક્તો પોતાની સુવિધા અનુસાર વેબસાઈટ, વોટ્સએપ નંબર, ટોલ ફ્રી નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કેદારનાથ જવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

  • આધાર કાર્ડ, ફોટો અને હેલ્થ સર્ટિફિકેટ
  • તમારે આ માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
  • યાત્રાળુના સ્વાસ્થ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખીને, કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે તે નોંધણી કરાવી શકે છે.

કેદારનાથ યાત્રા માટે કોણ અરજી ન કરી શકે?

  • 6 અઠવાડિયાથી વધુ સગર્ભા સ્ત્રીઓ.
  • 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો.
  • 75 વર્ષથી ઉપરના વૃદ્ધો.

હેલિકોપ્ટર સેવા માટેનું બુકિંગ 1 એપ્રિલથી શરૂ થશે

અત્યાર સુધી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ પવન હંસ દ્વારા થતું હતું.આ વખતે યાત્રાળુઓ IRCTCના સત્તાવાર પોર્ટલ દ્વારા કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા બુક કરી શકશે.ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે ચારધામ યાત્રાના રૂટ પર યાત્રાળુઓની સ્વાસ્થ્ય તપાસ માટે વિશેષ વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે.વર્ષ 2022માં જ્યારે કોરોના સંક્રમણ સમયગાળા બાદ પ્રથમ વખત યાત્રા શરૂ થઈ ત્યારે ચારધામ યાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી.

નિષ્ણાતોએ તેને રિવેન્જ ટુરિઝમ નામ પણ આપ્યું છે. આ દરમિયાન બીમાર લોકો પણ યાત્રામાં પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે આ વખતે ધામી સરકારે ચારધામ યાત્રાના રૂટ પર 50 હેલ્થ કિઓસ્ક બનાવવાનો નિર્ણય કર્યો છે.