
ભારતીય રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવી ગુનો છે. પરંતુ શું રાત્રે ટીટીઈ તમને કોઈ સ્ટેશન પર નીચે ઉતારી શકે? જાણો નિયમ,દંડ અને તમારા અધિકારો જાણો

ભારતીય રેલવેમાં ટિકિટ વગર ચડવું ગુનો છે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય જાય છે તો. તેને દંડ ભરવો પડી શકે છે અને કેટલાક કેસમાં જેલ પણ થઈશકે છે. રેલવે એક્ટ હેઠળ આ ગંભીર ઉલ્લંધન માનવામાં આવે છે.

જો તમે ટિકિટ વગર ટ્રેનમાં પકડાઈજાવ છો તો તમને અંદાજે 250 રુપિયાનો દંડ અને મુસાફરીનું આખું ભાડું આપવું પડે છે. કેટલાક કેસમાં આ દંડ 1000 સુધી હોય શકે છે.

નિયમો મુજબ TTE (Travelling Ticket Examiner) તમને તરત ટ્રેનની નીચે ઉતારી શકે નહી, ખાસ કરીને સાંજે યાત્રિકોની સુરક્ષાનું ધ્યાન રાખી આ નિર્ણય લેવામાં આવે છે.સાંજના સમયે ટિકિટ વગર મુસાફરી કરી કોઈ સ્ટેશન પર ઉતારવું સુરક્ષિત માનવામાં આવતું નથી. ત્યારે ટીટીઈ સામન્ય રીતે નજીકના મોટા સ્ટેશનની રાહ જુએ છે.

TTEની પાસે આ અધિકાર હોય છે કે, તે ટિકિટ વગર મુસાફરોને દંડ પટકારે અને નવી ટિકિટ આપે. જો મુસાફરો પૈસા આપવાની ના પાડી દે તો રેલવે પોલીસને સોંપવામાં આવે છે. જો કોઈ જાણી જોઈને ટિકિટ વગર મુસાફરી કરે તો. રેલવે એક્ટની કલમ 137 હેઠળ 6 મહીના સુધીની જેલ તેમજ દંડ કા પછી બંન્ને થઈ શકે છે.

ભારતીય રેલવે દર વર્ષે ટિકિટ વગર હજારો કરોડો રુપિયાનો દંડ વસુલે છે. માત્ર 2025માં 1781 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ માટે યાત્રા પહેલા ટિકિટ લેવી ખુબ જરુરી છે. ટિકિટ વગર મુસાફરી કરવી ગેરકાયદેસર છે, તેમજ તમને મોટો દંડ પણ આવી શકે છે. (ALL PHOTO : PTI)