Summer Tips – ગરમીના કારણે પગના તળિયામાં બળતરા થાય છે ? તો રાહત મેળવવા અજમાવો આ ઉપાય

|

May 16, 2022 | 10:51 AM

Summer Foot care Tips : હાલમાં ઉનાળાના (Summer)સમયમાં ગરમી (Heat)તેની ચરમસીમાએ છે ત્યારે લોકો શરીરમાં લ્હાય બળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  ખાસ કરીને પગના તળિયામાં લ્હાય બળવી તેમજ ખંજવાળ આવવી તે સમસ્યા ગરમીમાં વકરી છે.  આવો જાણીએ તેમાંથી રાહત મેળવવાના ઉપાય

Summer Tips - ગરમીના કારણે પગના તળિયામાં બળતરા થાય છે ? તો રાહત મેળવવા અજમાવો આ ઉપાય
Burning Feet

Follow us on

ઉનાળામાં (Summer) માં ત્વચાને લગતી સમસ્યા (Skin problem) વધતી હોય છે. શરીરના વિવિધ ભાગમાં પરસેવો થતા ખંજવાળ આવવી, ચકામા પડવા, કે સન બર્ન થવા સામાન્ય છે. ઘણા લોકોને પગના તળિયામાં અતિશય લ્હાય બળતી હોય છે. તેમજ પગમાં અતિશય ખંજવાળ પણ આવતી હોય છે. ત્યારે તેમાંથી રાહત મેળવવાના કેટલાક ઉપાય આ પ્રમાણે છે

પગના તળિયામાં લ્હાય બળવાના કારણ

પગના તળિયામાં લ્હાય બળવાનું મોટું કારણ શરીરમાં યૂરિક એસિડના પ્રમાણમાં થતો વધારો છે. પગના તળિયા સૂકા રહેતા હોય તો પણ ગરમીના સમયમાં લ્હાય બળે છે. ઉપરાંત કેલ્શિયમ અને વિટામિન ડીના અપૂરતા પ્રમાણને કારણે પણ આ સમસ્યા થાય છે તો ઘણી વાર ડાયાબિટિસના કારણે પણ પગના તળિયામાં લ્હાય બળે છે. (Summer Foot care Tips ) હાલમાં ઉનાળાના (Summer) સમયમાં ગરમી (Heat)તેની ચરમસીમાએ છે ત્યારે લોકો શરીરમાં લ્હાય બલવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  ખાસ કરીને પગના તળિયામાં લ્હાય બળવી તેમજ ખંજવાળ આવવી તે સમસ્યા ગરમીમાં વકરી છે.  આવો જાણીએ તેમાંથી રાહત મેળવવાના ઉપાય

સમસ્યામાંથી રાહત મેળવવાના ઉપાય

નાળિયેર તેલનો ઉપયોગ

પગના તળિયામાં નાળિયેર તેલ લગાવીને થોડી વાર માલિશ કરી શકાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હળદરનો ઉપયોગ

દરેક રસોડામાં સરળતાથી મળી રહેતી હળદર એ આ સમસ્યામાં સૌથી અસરકારક રહે છે. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણો છે. તે પગમાં થતી બળતરા અને ખંજવાળમાંથી રાહત આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.હળદરમાં નાળિયેળનું તેલ મેકિસ કરીને લગાવવાથી તમને રાહત મળશે. હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ તથા એન્ટિ બાયોટિક ગુણ હોય છે. જે તમને ઘણી મદદ કરશે.

મીઠાના પાણીનો ઉપયોગ

મીઠું પણ પગના તળિયામાંથી લ્હાય બળવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આ ઉપાય કરવા માટે એક મોટા વાસણ કે ડોલમાં પગના તળિયા ડૂબે તેટલું પાણી લેવું, તેમાં સિંધવ મીઠું નાંખીને પાણીમાં પગ બોળીને થોડી વાર માટે બેસો એનાથી તમને ઘણી રાહત રહેશે. આ પાણીમાં તમે સરકો પણ ઉમેરી શકો છો.

એલોવેરા અને કપૂર

એલોવેરા , નાળિયેર તેલ અને કપૂરનો ઉપયોગ કરીને પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. આ એક આયુર્વેદિક ઉપચાર છે તેના માટે એલોવેરા, નાળિયેર અને કપૂરના પાઉડરને મિક્સ કરી લેવો.આ મિશ્રણને પગના તળિયા પર લગાવી લેવું . કપૂર અને એલોવેરા પ્રાકૃતિક રીતે ઠંડી પ્રકૃતિ ધરાવે છે જે તમને બળતરામાં રાહત આપશે.

પૂરતા પ્રમાણમાં પાણી પીઓ

ગરમીના સમયમાં શરીરનો હાઇડ્રેટ રાખવું અતિશય જરૂરી છે. ઘણી વાર શરીરમાં ટોક્સિન વધી જાય છે ત્યારે પણ પગમાં લ્હાય બળે અને ખંજવાળ આવે છે. માટે ગરમીના સમયમાં પૂરતા પ્રમાણમાં પાણી પીઓ જેનાથી ટોક્સિક બહાર નીકળતા તમને રાહત મળશે.

આ ઉપરાંત તમે રોજિંદા વપરાશમાં કોથમીર, વરિયાળી, દ્વાક્ષ જેવા ઠંડા પદાર્થોનું સેવન કરશો તો એ પણ તમારા માટે ફાયદાકારક બની રહેશે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

 

Published On - 10:51 am, Mon, 16 May 22

Next Article