Health Tips: બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવા માટે અજમાવો આ કુદરતી અને સરળ ઘરેલું ઉપાયો

|

Feb 09, 2022 | 4:06 PM

ડાયાબિટીસને નિયંત્રણમાં (Diabetes Care) રાખવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ખાવા-પીવાનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે આ ખોરાકને પણ આહારમાં સામેલ કરી શકો છો.

Health Tips: બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવા માટે અજમાવો આ કુદરતી અને સરળ ઘરેલું ઉપાયો
(Image-Social media)

Follow us on

આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસથી (Diabetes) ઝઝૂમી રહ્યા છે. જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. એલોપેથિક સારવાર સાથે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરી શકો છો. આવી સ્થિતિમાં તમારા આહારનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરી શકો છો જે ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યા પ્રકારનો આહાર લેવો તે અંગે મૂંઝવણમાં રહે છે. તમે તમારા આહારમાં મેથીના દાણા, આમળાનો રસ અને કારેલાનો રસ (Diabetes Diet) સામેલ કરી શકો છો. આવો જાણીએ કે તમે આ વસ્તુઓને ડાયટમાં (Diabetes care) કેવી રીતે સામેલ કરી શકો છો.

મેથીના દાણા

મેથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ (Blood sugar level) ઘટાડવામાં મદદ કરે છે. એક ચમચી મેથીનો પાવડર સવારે ખાલી પેટ લો. આ પાઉડરનું રોજ હૂંફાળા પાણી સાથે સેવન કરો. મેથીમાં ફાઈબર હોય છે જે પાચનની ગતિને ધીમી કરવામાં મદદ કરે છે. તે કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડના શોષણને નિયંત્રિત કરે છે અને લોહીના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તજ

આ તજ ખાવાનો સ્વાદ તો સુધારે છે પણ લોહીમાં ગ્લુકોઝ વધતા અટકાવે છે. તજમાં એક બાયોએક્ટિવ ઘટક હોય છે જે તમારા શરીરમાં ઈન્સ્યુલિન પ્રવૃત્તિને ઉત્તેજિત કરી શકે છે. હૂંફાળા પાણીમાં એક ચમચી તજ પાવડર ભેળવીને દિવસમાં એક વાર તેનું સેવન કરો. તમે તજને પાણીમાં ઉકાળીને પણ તેનું સેવન કરી શકો છો. તમે દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આમળાનો રસ

આમળા એ ડાયાબિટીસ માટે વર્ષો જૂનો ઉપાય છે. તેમાં ક્રોમિયમ નામનું ખનિજ હોય ​​છે. જે કાર્બોહાઈડ્રેટ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તમારા શરીરને ઈન્સ્યુલિન પ્રત્યે વધુ પ્રતિભાવશીલ બનાવે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આમળાંનો રસ ભેળવીને સવારે વહેલા ઉઠી અને પીવો. તમે તમારા પીણામાં એક ચપટી હળદર પાવડર પણ ઉમેરી શકો છો. અન્ય વિટામિન સી સમૃદ્ધ ખોરાક જેમ કે લીંબુ, નારંગી અને ટામેટાં પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક થઈ શકે છે.

કારેલાંનો રસ

રોજ કારેલાનો રસ પીવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ઉપાય બની શકે છે. તમે તમારા કારેલાના રસને કાકડી અથવા સફરજનના રસમાં મિક્સ કરી શકો છો. જેથી તેનો સ્વાદ થોડો સારો લાગે. એક સરખા કારેલાં, કાકડી, લીલા સફરજન લો અને તેને એકસાથે પીસી લો. દરરોજ કારેલાંનો રસ પીવાથી તમારા શરીરમાં ગ્લુકોઝના સ્તરને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

આ પણ વાંચો: Healthy Heart : જાણો હાર્ટ એટેકનું પેટના દુઃખાવા સાથે શું છે કનેક્શન ?

આ પણ વાંચો: Health Care Tips : પપૈયું ખાવુ શરીર માટે ફાયદાકારક, પણ જો હોય આ બિમારી તો ચેતજો

Next Article