ભારતમાં જેઓ ઢોસા અથવા ઈડલી ખાય છે તેઓ તેની સાથે નારિયેળની ચટણીનો સ્વાદ પણ લે છે. નારિયેળમાંથી બનેલી આ ચટણી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. ઢોસા અને ઈડલી સિવાય તેને ગ્રીલ્ડ બ્રેડ, અપ્પમ, પોંગલ, અને પરાઠા સાથે ખાવામાં આવે છે. નારિયેળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પેટની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તમે તમારી રીતે નારિયેળની ચટણી તૈયાર કરી શકો છો. ચાલો તમને નારિયેળની ચટણીની એવી 5 રીતો વિશે જણાવીએ, જેને તમે દરેક ખોરાક સાથે ખાઈ શકો છો.
આ માટે તમારે એક કપ નાળિયેર, એક બારીક સમારેલ લીલું મરચું, 2 ચમચી આદુ પેસ્ટ, અડધી ચમચી મીઠું, 2 ચમચી આમલીની પેસ્ટ અને એક ચમચી નારિયેળ તેલની જરૂર પડશે. તેને બનાવવા માટે નારિયેળ, લીલા મરચાં, આદુ, મીઠું અને આમલીની પેસ્ટને એકસાથે પીસી લો. તેમાં નાળિયેરનું તેલ ઉમેરો અને તમારી નાળિયેરની ચટણી તૈયાર છે.
આ માટે તમારે એક કપ મગફળી, 3 લસણની કળી, 2 બારીક સમારેલી ડુંગળી, 3 ચમચી તેલ, 3 ચમચી નારિયેળ, મીઠી લિમડાના પાન, 2થી 3 સૂકા લાલ મરચાં, 1 ચમચી ગોળ અને 2 ચમચી આમલી પાવડર અને મીઠુંની જરૂર પડશે. તેને બનાવવા માટે સૌપ્રથમ મગફળીને એક પેનમાં 10 મિનિટ માટે શેકી લો અને તેને ઠંડુ થવા માટે રાખો. હવે પેનમાં તેલ મૂકી તેમાં લસણ, લાલ મરચું અને ડુંગળી સાંતળો. ડુંગળી થોડી નરમ થાય એટલે તેમાં આમલી, મીઠું અને ગોળ ઉમેરો. બીજી તરફ બ્લેન્ડરમાં નારિયેળ અને મગફળીને બ્લેન્ડ કરીને પાવડર બનાવો અને તેમાં તૈયાર કરેલું બેટર ઉમેરો. તમારી ચટણી તૈયાર છે.
તેને બનાવવા માટે તમારે એક કપ નાળિયેર પાવડર, આદુના 2 ટુકડા, 3 લીલા મરચાં, આમલી પાવડર, મીઠું અને એક ચમચી નારિયેળ તેલની જરૂર પડશે. તેને બનાવવા માટે, બધી વસ્તુઓને સારી રીતે પીસી લો અને હવે તેને એક બાઉલમાં મૂકો અને તેમાં નારિયેળ તેલ ઉમેરો. તમારી નાળિયેર અને આદુ ની ચટણી તૈયાર છે.