શું તમે જાણો છો, વર્ષોથી તમે જે સંભાર આરોગો છો તે દક્ષિણ ભારતીય વાનગી નથી? મહારાષ્ટ્રના જાણીતા રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ

|

Mar 17, 2022 | 3:49 PM

સંભાર ખાનારા મોટાભાગના લોકો માને છે કે તે દક્ષિણ ભારતીય વાનગી છે. પરંતુ આ બિલકુલ સત્ય નથી. વાસ્તવમાં આ એક મરાઠી વાનગી (Marathi dish) છે.

શું તમે જાણો છો, વર્ષોથી તમે જે સંભાર આરોગો છો તે દક્ષિણ ભારતીય વાનગી નથી? મહારાષ્ટ્રના જાણીતા રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ
history of Sambar (symbolic image )

Follow us on

ઈડલી, વડા અને ઢોંસા બધા એક વસ્તુ વગર અધૂરા છે, તે છે સંભાર (Sambhar). સંભાર વિના તેમનો ટેસ્ટ અધૂરો લાગે છે. સંભાર લોકોની પસંદગીની વસ્તુ છે, પરંતુ તે ક્યારેય એકલા પીરસવામાં આવતું નથી. સંભાર ખાનારા મોટાભાગના લોકો માને છે કે તે દક્ષિણ ભારતીય વાનગી છે. પરંતુ આ બિલકુલ સત્ય નથી. વાસ્તવમાં આ એક મરાઠી વાનગી (Marathi dish) છે.

અશ્ચર્ય થયું ને? પરંતુ તેનો ઈતિહાસ જાણ્યા પછી તમે પણ આ જ વાત કહેશો

સંભારનો ઈતિહાસ જાણવા માટે તમારે મહારાષ્ટ્રના બહાદુર યોદ્ધા છત્રપતિ શિવાજીના સમયમાં જવું પડશે. તે દિવસોની વાત છે, જ્યારે તમિલનાડુના તંજાવુરમાં પણ મરાઠાઓનું શાસન હતું, ત્યારે શિવાજીના પુત્ર સંભાજી ત્યાં રહેતા શાહુજી મહારાજને મળવા ગયા હતા. સંભાજીને મરાઠી વાનગી આમટી ખૂબ જ પસંદ હતી.
તેથી, તેમના સ્વાગતમાં શાહુજીએ તેમના શાહી રસોઈયાઓને આમટી તૈયાર કરવાનો આદેશ આપ્યો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આમટી એક ખાટી વાનગી છે જેને મગની દાળ અને કોકમ ઉમેરીને બનાવવામાં આવે છે.

પરંતુ તે દિવસે શાહી રસોડામાં મગની દાળ ખાલી થઈ ગઈ અને ત્યાં કોઈ કોકમ (મહારાષ્ટ્રમાં મળતા ખાટા ફળ) નહોતા. તેથી જ રસોઈયાએ વટાણા અને તુવેર દાળની વાનગી આમલી નાખી તૈયાર કરી. જ્યારે તે સંભાજીને પીરસવામાં આવ્યું, ત્યારે તેને તેનો સ્વાદ ગમ્યો. જો કે, રસોઈયાએ તેમને કહ્યું કે તે કેવી રીતે તૈયાર કરવામાં આવી છે. હવે આ એક નવી વાનગી હતી. તેથી તે જ સમયે તેનું નામ પણ રાખવામાં આવ્યું હતું. તેનું નામ સાંભર હતું. કારણ કે તે સંભાજી મહારાજ માટે બનાવવામાં આવ્યું હતું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ત્યારથી આ વાનગી લોકોને તેના દિવાના બનાવી રહી છે. જેઓ મહારાષ્ટ્રના છે તેઓ જાણતા હશે કે મરાઠી ખોરાક હજુ પણ તમિલનાડુ અથવા દક્ષિણના કેટલાક ભાગોના ભોજનમાં જોવા મળે છે. કારણ એ છે કે ત્યાં મરાઠાઓનું શાસન હતું. એટલું જ નહીં તેમની બોલીમાં જૂની મરાઠી ભાષાના શબ્દો પણ સંભળાય છે અને આમ લોકો દક્ષિણ ભારતીય વાનગી સાથે સંભાર આરોગવા લાગ્યા અને તેને દક્ષિણ ભારતની વાનગી સમજવા લાગ્યા

હવે જ્યારે કોઈ તમને પૂછે કે સાંબર ક્યાંનો છે, તો તેને આ હકીકત જણાવવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો :‘The Kashmir Files’ને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરવા સંજય રાઉતનો ઈન્કાર, કહ્યુ-બાળાસાહેબ પર બનેલી ફિલ્મ પણ નહોતી કરાઈ ટેક્સ ફ્રી

આ પણ વાંચો :Ranji Trophy: ઝારખંડે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1000 રનની લીડ મેળવનાર પહેલી ટીમ બની

Next Article