Paneer Benefits: રોજ નાસ્તામાં 100 ગ્રામ પનીર ખાઓ, હિમોગ્લોબિન ઝડપથી વધશે વજન પણ નિયંત્રણમાં રહેશે

|

May 20, 2022 | 4:23 PM

પનીર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે શરીર માટે પણ ફાયદાકારક છે. તેને ખાવાથી શરીરમાં તમામ પોષકતત્વો મળી રહે છે અને શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે. જો રોજ સવારે કાચું પનીર (Paneer) ખાવામાં આવે તો શરીરને તેના તમામ ફાયદાઓ મળે છે.

Paneer Benefits: રોજ નાસ્તામાં 100 ગ્રામ પનીર ખાઓ, હિમોગ્લોબિન ઝડપથી વધશે વજન પણ નિયંત્રણમાં રહેશે
હિમોગ્લોબિન વધારવા પનીર ખાઓ
Image Credit source: File Photo

Follow us on

Benefits Of Paneer : સવારનો નાસ્તો તમારા શરીરમાં એનર્જીનું કામ કરે છે. આ તમને આખા દિવસ માટે એનર્જી આપે છે, જે તમને દિવસભર કામ કરવાની તાકાત આપે છે. જો કે સારા સ્વાસ્થ્ય (Health) માટેની તમામ વસ્તુઓ તમારા રસોડામાં હાજર છે, પરંતુ આજે અમે તમને કાચા પનીર વિશે જણાવીશું. જો તમે દરરોજ તમારા નાસ્તામાં 100 ગ્રામ કાચું પનીર (Raw Paneer) લેવાનું શરૂ કરો છો, તો તે તમને આખા દિવસ માટે એનર્જી તો આપશે જ, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને જડમૂળથી દૂર કરી શકે છે. અહીં જાણો કાચા પનીર ખાવાના ફાયદા.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

પાણી કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તમારા શરીરમાં આ વસ્તુઓની ઉણપને પૂરી કરવાની સાથે તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

હિમોગ્લોબિન વધારે છે

સ્ત્રીઓના શરીરમાં ઘણીવાર હિમોગ્લોબીનની ઉણપ જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તેઓ કાચા પનીરનું સેવન કરે છે, તો શરીરમાં લોહીની ઉણપ ઝડપથી દૂર થાય છે. તેમાં રહેલું આયર્ન એનિમિયાને ઝડપથી દૂર કરે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

વજન સંતુલિત રાખે છે

પનીર ખાધા પછી પેટ ભરાઈ જાય છે. તમે લાંબા સમય સુધી બીજું કંઈપણ ખાવા માંગતા નથી. આવી સ્થિતિમાં, શરીર અતિશય આહારથી બચે છે અને તેનું વધારાનું વજન વધતું નથી. પનીર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે

ડાયાબિટીસના દર્દીઓ માટે કાચું પનીર ફાયદાકારક માનવામાં આવે છે. તેને સવારે ખાલી પેટ ખાવાથી એનર્જી તો મળે જ છે સાથે જ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ દિવસ દરમિયાન તેને નાસ્તા તરીકે પણ ખાઈ શકે છે.

હાડકાં મજબૂત કરે

કાચા પનીર ખાવાથી હાડકા પણ મજબૂત બને છે. તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તે સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસિસનું જોખમ પણ ઘટાડે છે. 30 વર્ષની આસપાસ મહિલાઓએ કોઈપણ સંજોગોમાં તેમના આહારમાં કાચા પનીરને સામેલ કરવું જોઈએ.

ખાવાની રીત

પનીર સવારે ખાલી પેટ ખાવું જોઈએ. કસરત કર્યાના 10 મિનિટ પછી તમે 100 ગ્રામ પનીર ખાઈ શકો છો. તેને ખાધા પછી લગભગ એક કલાક સુધી બીજું કંઈ ન ખાવું જોઈએ. તેનાથી તમારા શરીરને પોષક તત્વો યોગ્ય રીતે મળી રહે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article