વડોદરાનાં ભાયલી વિસ્તારનાં રામભક્તે બનાવી 20 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી ખુરશી,શ્રીરામ ભગવાનના 20 ફૂટ લાંબા ચિત્રને ખુરશી પર બિરાજમાન કરવામાં આવશે
આવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં મંદિરનાં શિલાન્યાસની વિધિ થવા જઈ રહી છે. દેશભરનાં રામભક્તો પોતાની રીતે ભગવાન રામ માટે કંઈને કંઈ કરી રહ્યા છે તેવામાં વડોદરાનાં ભાયલી વિસ્તારનાં એક ભક્ત દ્વારા રામજી માટે ખુરશી બનાવવામાં આવી છે. આ ખુરશી કોઈ સાદી નથી. 20 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી ખુરશી કે જે વડોદરાના ભક્તે બનાવી છે તે વિશ્વની […]
આવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં મંદિરનાં શિલાન્યાસની વિધિ થવા જઈ રહી છે. દેશભરનાં રામભક્તો પોતાની રીતે ભગવાન રામ માટે કંઈને કંઈ કરી રહ્યા છે તેવામાં વડોદરાનાં ભાયલી વિસ્તારનાં એક ભક્ત દ્વારા રામજી માટે ખુરશી બનાવવામાં આવી છે. આ ખુરશી કોઈ સાદી નથી. 20 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી ખુરશી કે જે વડોદરાના ભક્તે બનાવી છે તે વિશ્વની સૌથી મોટી ખુરશી બનાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભાયલી ગામના ખેડૂત અરવિંદ ભાઈ પટેલે આ ખુરશી બનાવી છે અને આવતીકાલે શ્રીરામ ભગવાનના 20 ફૂટ લાંબા ચિત્રને વિશ્વની સૌથી મોટી ખુરશી પર બિરાજમાન કરવામાં આવશે.