રાજકોટમાં ફેરિયાઓના દબાણને લઈ વેપારી પરેશાન, લાખાજી બજાર સહિતના વિસ્તારો ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરવા માગ, જુઓ Video

રાજકોટના લાખાજી રોડ પર બજારના વેપારીઓમાં આક્રોશ છે. ફેરિયા, રેકડીવાળા અને પાથરણાવાળાથી વેપારીઓ પરેશાન છે. વેપારીઓએ રેલી કાઢી કમિશનર અને મેયરને આવેદન આપ્યું હતું.

| Edited By: | Updated on: Aug 10, 2023 | 9:18 PM

રાજકોટના સૌથી મોટા લાખાજી રોડ પર આવેલા બજારમાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. ફેરિયા, રેકડીવાળા અને પાથરણાવાળાઓના દબાણને કારણે વેપારી રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રેલી કાઢી મેયર અને કમિશનરને આવેદન પાઠવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં લીંગ પરીક્ષણ કરતું ક્લિનિક ઝડપાયું, મહિલા એજન્ટ 30 હજાર વસૂલી થતું હતું પરીક્ષણ, જુઓ Video

વેપારીનું કહેવું છે કે તેમની દુકાન આગળ જ ફેરિયા અને રેકડીવાળા બેસી જાય છે જેને કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. એટલું જ નહીં આ લોકો માથાભારે હોવાથી તેમના ગાંઠતા ન હોવાનો પણ આરોપ છે. તો ગ્રાહકોને પણ ખરીદી કરવામાં મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વેપારીઓ માગ કરી છે કે લાખાજી રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા રોડને “નો ફેરિયા ઝોન” જાહેર કરવામાં આવે, અને આ ફેરિયા અને રેકડીવાળા માટે શાસ્ત્રી મેદાનમાં હોકર્સ ઝોન ફાળવી આપવાની રજૂઆત કરી છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.