Oxygen purity : રાજ્યમાં કોરોના મહામારી બાદ મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસે માથું ઉચકયું છે. અત્યાર સુધીમાં બ્લેક ફંગસનો ઘણા લોકો ભોગ બન્યા અને તેમના આંખ, નાક, જડબા અને તાળવા ઓપરેશન કરીને કાઢી નાખવા પડ્યા છે, તો અમુક લોકો આ બીમારીને કારણે મૃત્યુ પણ પામ્યા છે. આ બ્લેક ફંગસ મહામારી પાછળ એક કારણ અશુદ્ધ ઓક્સિજનને પણ મનાવામાં આવે છે. આવો અશુદ્ધ ઓક્સિજન દર્દીઓને આપતા પહેલા તેની શુદ્ધતાની ચકાસણી કરવી જરૂરી છે, પણ રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ઓક્સીજનની શુદ્ધાતાની તપાસ કરવામાં નથી આવી.
5 વર્ષથી ઓક્સિજનની શુદ્ધતાની તપાસ નહી
એક મીડિયા રીપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી ઓક્સિજનની શુદ્ધતા (Oxygen purity) ની તપાસ કરવામાં નથી આવી. કોરોના મહામારીમાં ઓક્સીજન સીલીન્ડરની અછત ઉભી થતા ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સીલીન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણા નિષ્ણાંતો એવું પણ માની રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સીલીન્ડરમાં રહેલા અશુદ્ધ ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસનો રોગચાળો ઉભો થયો છે.
Mucormycosis ના સંક્રમણમાં ઇન્ડસ્ટ્રીયલ ઓક્સીજન જવાબદાર ?
કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો વધતા દેશમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઇ હતી. ઓક્સિજનની આ અછતને દુર કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વિવિધ પગલાઓ લીધા હતા. જેમાંનું એક હતું ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના સીલીન્ડરોનો પણ મેડીકલ ઓક્સિજન સપ્લાય કરવા માટે ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને વધુ પ્રમાણમાં મેડીકલ ઓક્સિજનનો સપ્લાય થઇ શકે.
Used #steroids in lakhs of rheumatology patients for weeks but never witnessed such numbers of #Mucormycosis as within last few weeks. Is it Covid playing with the immunity to invite #Mucormycosis or the use of industrial #Oxygen during crisis? @ICMRDELHI @drharshvardhan
— Prof. (Dr) Uma Kumar (@_Rheuma) May 20, 2021
AIIMS ના રુમેટોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ડો.ઉમા કુમાર (Dr.Uma Kumar) એ બ્લેક ફંગસ (Mucormycosis) ના સંક્રમણ થવા અંગે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે. કારણકે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન મેડીકલ ઓક્સીજન જેટલો શુદ્ધ નથી હોતો અને તેનો ઉપયોગ મેડીકલ ઓસ્કીજન તરીકે થઇ શકે નહિ. આથી ડો.ઉમા કુમારે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન અને તેના સીલીન્ડર બ્લેક ફંગસના સંક્રમણ અંગે જવાબદાર હોવાની આશંકા વ્યકત કરી છે.
આ પણ વાંચો : Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું