જામનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે લોકોમાં ઉત્સાહ, કાલાવાડના ધારાસભ્યએ પણ કર્યું મતદાન

|

Dec 19, 2021 | 1:26 PM

જામનગરના કાલાવડના ધારાસભ્યએ વધુને વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. નિકાવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની સીધી ટક્કર છે.

ગુજરાતના(Gujarat)જામનગરના કાલાવડ(Kalavad)વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પ્રવિણ મુછડીયાએ (Pravin Muchadiya) પોતાના વતન નિકાવા ગામે મતદાન(Voting)કર્યું હતું, જેમાં ધારાસભ્ય પણ મતદાન માટેની લાઈન ઉભા રહી પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ વેળાએ ધારાસભ્યએ વધુને વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. નિકાવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની સીધી ટક્કર છે. સવારથી જ મોટીસંખ્યામાં મતદારો આવતા મતદાનની ટકાવારી પણ ઉંચી રહેવાનું અનુમાન છે.

ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchyat Election)બપોરે 12 વાગે સુધીમાં સરેરાશ 22 ટકા જેટલું મતદાન(Voter turn Out)નોંધાયું છે. જેમાં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 25 ટકા, મધ્ય ગુજરાતમાં 23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 19 ટકા, જયારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 21 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી! લંડનથી દુબઇનો પ્રવાસ કરીને આવેલા આણંદના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ

આ પણ વાંચો: Banaskantha: ધાનેરાના MLA નાથા પટેલે કર્યું મતદાન, EVM અને બેલેટ પેપરને લઈને આપ્યું આ નિવેદન

 

Next Video