Banaskantha Breaking News : સાળંગપુર ટ્રેડમાર્ક મુદ્દે બ્રહ્મ સમાજે ખોલ્યો મોરચો, પાલનપુર બેઠકમાં થશે મોટો નિર્ણય ! જુઓ Video

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સાળંગપુરના હનુમાનજી મહારાજના નામે ટ્રેડમાર્ક કરાવવાનો હવે વિરોધ શરૂ થયો છે. બ્રહ્મ સમાજ સહિત સંત સમાજ દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે.

| Edited By: | Updated on: Jun 14, 2026 | 1:56 PM

કિંગ ઓફ સાળંગપુર તરીકે જાણીતા બોટાદના સાળંગપુર મંદિરમાં ટ્રેડમાર્ક લેવામાં આવ્યો છે. જેનો બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આજે 14 જૂને બનાસકાંઠાના પાલનપુરમાં બ્રહ્મ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. જેમાં ટ્રેડમાર્કનો વિરોધ કરવામાં આવશે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે

બ્રહ્મ સમાજનું શું કહેવું છે ?

બનાસકાંઠાના પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળશે. ત્યા બ્રહ્મ સમાજની બેઠકમાં સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદનો વિરોધ કરવામાં આવશે. બ્રહ્મ સમાજનું કહેવું છે કે ભગવાનની મૂર્તિ સહીતના ટ્રેડમાર્ક ન હોવા જોઈએ. આજે બેઠકમાં ઠરાવ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ પાલનપુર ખાતે શરૂ થશે બ્રહ્મ સમાજની બેઠક. સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદ મામલે બ્રહ્મ સમાજનો આક્ષેપ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વાર ભગવાનનું વ્યાપારીકરણ કરાયું. હિંદુ દેવી-દેવતાઓના નામ પર ટ્રેડમાર્ક નહીં લઈ શકાય તેવું બ્રહ્મ સમાજે કહ્યું છે.

આ પણ વાંચો, તાલાલા ગીરમાં કેસર કેરીની આવકે તોડ્યો રેકોર્ડ, હરાજીમાં આવી 200 કરોડની કેરી- Video

Published On - 1:55 pm, Sun, 14 June 26

Follow Us