Ahmedabad : કઠવાડા જીઆઇડીસીના એપલ ફર્નિચરના યુનિટમાં આગ, કોઇ જાનહાનિ નહિ

|

Aug 30, 2021 | 11:47 PM

કઠવાડા જીઆઇડીસીમાં આવેલા એપલ ફર્નિચરના  યુનિટમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ સ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના 25 જવાનોએ આગને કાબુમાં લેવા કામગીરી શરુ કરી છે.

અમદાવાદના કઠવાડા જીઆઇડીસીમાં આવેલા એપલ ફર્નિચરના  યુનિટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આ યુનિટમાં લાકડાનું રો મટીરીયલ અને PU ફોર્મના માલમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ સ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના 25 જવાનોએ આગને કાબુમાં લેવા કામગીરી શરુ કરી છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.

જો કે આ આગ કેમ લાગી છે તે અંગેની કોઇ જ માહિતી સાંપડી નથી. તેમજ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિક્સમાં રાજસ્થાનના આ 3 ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું

આ પણ વાંચો :  વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં 250 વર્ષથી ઉજવાય મેઘઉત્સવ, ૨૫ ફુટ ઊંચી વજનદાર છડીને ઝુલાવતા યુવાનોનેને જોવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

 

Published On - 11:37 pm, Mon, 30 August 21

Next Video