Astrology: તમને ખબર છે કે કઈ રાશિ વાળા વચન આપીને તોડવામાં હોય છે ઉસ્તાદ? વાંચો આ પાંચ રાશિ વાળા વિશે

|

Aug 31, 2021 | 10:01 PM

આજે અમે એવી 5 રાશિઓ વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે જે ભરોસો કરવાના લાયક નથી. તેઓ મોટાભાગે પોતાના વચનનું પાલન કરતા નથી.

Astrology:  તમને ખબર છે કે કઈ રાશિ વાળા વચન આપીને તોડવામાં હોય છે ઉસ્તાદ? વાંચો આ પાંચ રાશિ વાળા વિશે
File photo

Follow us on

પહેલાના વખતમાં એક કહાવત હતી કે પ્રાણ જાયે પર વચન ન જાએ. જોકે હાલના સમયમાં કોઇએ પણ આ કહાવતનું માન જાળવ્યુ નથી. વચન પાળવા માટે આપવામાં આવે છે. કોઇ વ્યક્તિને ખુશ કરવા અથવા તો ફક્ત નામ પૂરતા નથી હોતા. વચન આપવુ ખૂબ સરળ હોય છે. વચન આપતી વખતે તમે તેને લઇને ઇમાનદાર હોય શકો છો પરંતુ વચન આપ્યા બાદ તે વચન પાળવુ ખૂબ મુશ્કેલ હોય છે.

કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમની આદત હોય છે ખોટા વચન આપવાની. અમુક સમયે કોઇક ખાસ સ્થિતીથી બચવા માટે પમ લોકો વચન આપી દેતા હોય છે. સૌથી વધુ આ વસ્તુ તમે અનુભવી હશે કે જ્યારે તમે કોઇને ઉધાર પૈસા આપ્યા હોય અને તે પાછા લેવાનો સમય આવે તમને સામે વાળી વ્યક્તિ એટલા વાયદા આપશે કે તમે તેનાથી કંટાળી જશો.

આજે અમે એવી 5 રાશિઓ વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે જે ભરોસો કરવાના લાયક નથી. તેઓ મોટાભાગે પોતાના વચનનું પાલન કરતા નથી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મેષ રાશિ – મેષ રાશિના લોકો વચનની વ્યવહારિક્તા વિશે વિચાર્યા વગર જ વચન આપી બેસે છે. તેઓ વિચાર્યા વગર જ વસ્તુઓ માટે હા કહી દે છે અને પછી જ્યારે વચનને પૂરા કરવાની વાત આવે છે ત્યારે તેઓ તેનું પાલન નથી કરી શક્તા

તુલા રાશિ – તુલા રાશિના લોકો બધાને ખુશ કરવા માંગતા હોય છે. તેઓ બધાની નજરમાં સારા બનવા માંગે છે અને જેના માટે તેઓ આંખ બંધ કરીને વચનો પણ આપી દે છે. તેમને લોકોને ના કહેવામાં મુશ્કેલી થાય છે. માટે તેઓ વચન આપી તો દે છે પણ તેને નિભાવી નથી શક્તા

ધનુ રાશિ – ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સારા લોકો હોય છે. તેઓ વચન નિભાવવાના ઇરાદાથી વચન આપે છે. તેઓ મોટેભાગે પોતાની સમસ્યાઓમાં એટલા વ્યસ્ત રહે છે કે આપેલા વચનને ભૂલી જાય છે અને અજાણતામાં તેને તોડી નાખે છે.

કુંભ રાશિ – કુંભ રાશિવાળા લોકો મોટેભાગે બદલામાં કઇંક મેળવવા માટે વચન આપે છે. જો તેમને તમારી પાસેથી કઇંક જોઇએ છે તો તે તમને વચન આપશે. પોતાનું કામ પૂરુ થઇ ગયા પછી કુંભ રાશિના લોકો તેને તોડવાની વધુ સંભાવના રાખે છે.

મીન રાશિ – મીન રાશિના લોકો દરેકની મદદ કરવા માંગે છે અને આ આદતને કારણે તેમની થાળીમાં ઘણુ બધુ હોય છે. તેઓ લોકોને ના કહેવામાં અસમર્થ હોય છે અને આપેલા વચનનું પાલન કરવા માટે ઘણો પરિશ્રમ પણ કરે છે. પરંતુ કેટલીક વાર તેઓ તેમાં નિષ્ફળ જાય છે.

અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આ અહેવાલને સામાન્ય રૂચિને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

BHAVNAGAR : કોરોના વેક્સિન લેવામાં ઉદાસીનતા, નાના જિલ્લાઓ કરતા પણ ભાવનગર સહીત 4 મહાનગરો રસીકરણમાં પાછળ

Next Article