
FAN :બહારથી ઘરમાં પ્રવેશતા જ પહેલા પંખાની સ્વીચ દબાવીએ છીએ. કુલર અને એસી ભલે છેલ્લા કેટલાક દાયકાઓમાં આવ્યા હોય, પરંતુ લાંબા સમયથી પંખો એ ગરમીમાંથી રાહત મેળવવાનું એકમાત્ર સાધન હતું. આજે પણ દેશની વસ્તીના મોટા વર્ગને ઉનાળા (Summer)માં પંખાની મદદથી જ રાહત મળે છે.એવા કોઈ ઘર નહિ હોય કે જ્યાં પંખા ન હોય અને તેમાં પણ ત્રણ બ્લેડ લાગેલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, હવે બજારમાં કેટલાક એવા પંખાઓ હોય છે જેમાં 4 બ્લેડ લાગેલ હોય છેચાર બ્લેડ વાળા પંખા મોટાભાગે વિદેશ (Abroad)માં જોવા મળે છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે, ત્રણ બ્લેડ વાળા પંખા અને 4 બ્લેડ વાળા પંખામાં તફાવત શું હોય છે, ચાલો આજે તમને આના વિશે જણાવીશું
વિદેશમાં ઠંડા દેશોમાં 4 બ્લેડ વાળા પંખા હોય છે. જ્યાં દરેક ઘરોમાં કંડિશનર લાગેલા હોય છે,આવી સ્થિતિમાં ACના પૂરક તરીકે આ ઘરોમાં ચાર બ્લેડ પંખા લગાવવામાં આવ્યા છે. એટલે કે તેનો ઉપયોગ રૂમમાં ACની હવા ફેલાવવા માટે થાય છે.
ભારતમાં તમને દરેક ઘરોમાં 3 બ્લેડવાળા પંખા જોવા મળશે. આ પંખાનો ઉપયોગ રુમાં હવા માટે કરવામાં આવે છે ચાર બ્લેડવાળા પંખાના મુકાબલે ત્રણ બ્લેડ વાળા પંખા હળવા હોય છે અને ખુબ ઝડપી ચાલે છે, જેના માટે ભારતમાં ત્રણ બ્લેડવાળા પંખા વાપરવામાં આવે છે
ચાર બ્લેડવાળા પંખા ત્રણ બ્લેડવાળા પંખા કરતા વિજળી વધુ લે છે. એવામાં વિજળીની બચત માટે ભારતમાં મોટાભાગના લોકો ત્રણ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ કરે છે, આ સિવાય બજારમાં 4 બ્લેડ વાળા પંખા ખુબ મોંધા હોય છે. જેના માટે લોકો ત્રણ બ્લેડવાળા પંખા ખરીદવાનું વધુ પસંદ કરે છે.
પંખા વર્ષ 1889માં અસ્તિત્વમાં આવ્યા. ફિલિમ એચ ડીહલી દ્વારા તેની પેટન્ટ કરવામાં આવી હતી. તેમાં એક મોટો જાડો લોખંડનો સળિયો હતો અને તેનું વજન ઘણું વધારે હતું. શરૂઆતમાં આવા ઘણા પંખા જોવા મળ્યા હતા. જેમાં 4 બ્લેડ હતા. આ પંખા આજની જેમ ખૂબ ઝડપથી ચાલતા ન હતા. પણ ધીરે ધીરે ચાલતા પણ તેઓ સારી હવા આપતા.
Published On - 1:26 pm, Fri, 17 June 22