ભારત એક ધાર્મિક દેશ છે. તેમા અલગ અલગ ધર્મ માનનારા લોકો રહે છે. દરેકના પોતાના ધાર્મિક ગ્રંથો છે. તેમા પણ હિન્દુ ધર્મમાં તો અનેક વેદ-પુરાણો છે. તેમા લખેલી કેટલીક વાતો આજે પણ દેશના લોકો પરંપરા માનીને પાળે છે. રાજસ્થાનના જાલોરમાં (Jalore) અસ્પૃશ્યતાના કારણે અનેક હત્યાના કેસ સામે આવી રહ્યા છે. આ ઘટનાઓનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને પોતાની વાત કહી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે તેને કારણે એક વિધાર્થીનું મોત થયુ. તો ચાલો જાણીએ મનુસ્મૃતિ (Manu Smriti) વિશે. સાથે સાથે એ પણ જાણીએ કે એક મોટો વર્ગ તેનો વિરોધ કેમ કરી રહ્યુ છે. એવુ તો શું લખ્યુ છે એ મનુ સ્મૃતિમાં કે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
મનુસ્મૃતિ એક ધાર્મિક ગ્રંથ છે. તેમાં રાજનીતિ અને ધર્મની વાતોનો ઉલ્લેખ છે. તેમા સમાજના સંચાલન માટે જે વ્યવસ્થાઓ છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા 2,684 જેટલા શ્લોક છે. તેમાં 12 અધ્યાય છે. તેમાં હિંદુ સંસ્કાર વિધિ, સૃષ્ટિ વિશે, શ્રાદ્ધ વિધિની વ્યવસ્થા, વિવાહના નિયમો અને મહિલાઓ માટેના નિયમો જણાવવામાં આવ્યા છે.
આ મનુસ્મૃતિમાં જાતિ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી છે. તેમા બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય, શૂદ્ર વગેરે જાતિના લોકો વિશેની માહિતી આપવામાં આવી છે. તે બધા બ્રહ્માજીના અલગ અલગ અંગોમાંથી ઉત્પન્ન થયા હતા. તે તમામ સમાજમાં કેવા કામો કરશે તેનો પણ તેમા ઉલ્લેખ છે.
મનુસ્મૃતિમાં મહિલાઓના કાર્યો, તેમના કાર્યો, તેમની જીવનશૈલી કહેવામાં આવી છે, જે આજના યુગમાં યોગ્ય માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, મનુસ્મૃતિનો ઘણો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે સ્ત્રીઓની સ્વતંત્રતા, તેમના આચરણ વિશે એવી ઘણી બાબતો છે, જેને આજે વ્યાજબી કહી શકાય નહીં. જેમ કે પાંચમા અધ્યાયના 152મા શ્લોકમાં લખ્યું છે – પિત્ર ભર્ત્ર સુતૈરવાપિ નેચેદવિરહમાત્મનઃ, એષાં હિ વિરહેણ સ્ત્રી ગહરો કુર્યાદુભે કુલે. જેનો અર્થ છે- સ્ત્રીએ તેના પિતા, પતિ અને પુત્ર સિવાય ક્યારેય એકલા ન રહેવું જોઈએ. જે સ્ત્રી તેમનાથી અલગ થઈને સ્વતંત્ર રહે છે તે તેના પતિ અને પિતા બંનેના પરિવારને કલંકિત કરે છે. આ કારણે લોકો મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને તેનો વિરોધ કરી રહ્યા છે.