ફિરોઝ ગાંધીને કેવી રીતે મળી ગાંધી અટક ? જે પાછળથી ઈન્દિરા અને પુત્રોએ પણ અપનાવી

ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર, 1912ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ગાંધી હતું. માતાનું નામ રતિમાઈ કોમિસરિયત હતું. તેઓ મુંબઈના ખેતવાડીમાં નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે તેમને કેવી રીતે ગાંધી અટક મળી હતી.

ફિરોઝ ગાંધીને કેવી રીતે મળી ગાંધી અટક ? જે પાછળથી ઈન્દિરા અને પુત્રોએ પણ અપનાવી
Feroze Gandhi
| Updated on: Sep 02, 2024 | 3:55 PM

પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી ગાંધી ન હતા. આ મુદ્દો ઘણીવાર ચર્ચાના ચકડોળે ચડે છે.  જો તેમની અટક ગાંધી નહોતી તો પછી તેમને આ અટક કેવી રીતે મળી. જો કે, ફિરોઝ ગાંધીના જન્મ, ધર્મ અને અંતિમ સંસ્કારને લઈને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઘણી અલગ-અલગ વાતો લખવામાં આવી છે. ત્યારે હકીકત શું છે, તે જાણવા આ લેખમાં ફિરોઝ ગાંધીના જીવનચરિત્ર પર આધારિત બુક “Feroze the Forgotten Gandhi” આધારે જાણીશું કે તેમને કેવી રીતે ગાંધી અટક મળી હતી. ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર, 1912ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ગાંધી હતું. માતાનું નામ રતિમાઈ કોમિસરિયત હતું. તેઓ  મુંબઈના ખેતવાડીમાં નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. પિતા મરીન એન્જિનિયર હતા. ફિરોઝને બે ભાઈ અને બે બહેનો હતી. ફિરોઝ સૌથી નાના હતા. પિતાના મૃત્યુ પછી ફિરોઝનો ઉછેર અલ્હાબાદમાં થયો તેમના જીવનચરિત્રમાં બર્ટિલ ફોક લખે છે, તેમનો પહેલેથી ધ્યેય ઊંચો હતો. કોલેજ છોડી અને કોંગ્રેસના કાર્યકર બન્યા. નેહરુના અન્ય...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો