
શ્વાનનું રસીકરણ તેના સ્વસ્થ અને લાંબા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રસીકરણ શ્વાનને ગંભીર, ચેપી અને જીવલેણ રોગોથી સુરક્ષા આપે છે. સામાન્ય રીતે, શ્વાનની રસીઓને બે મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવે છે: મુખ્ય રસીઓ (Core Vaccines) અને જીવનશૈલી રસીઓ (Lifestyle Vaccines).
મુખ્ય રસીઓ દરેક શ્વાન અને ગલુડિયા માટે ફરજિયાત માનવામાં આવે છે, કારણ કે આ રસીઓ એવા રોગોથી રક્ષણ આપે છે જે ખૂબ જ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. મુખ્ય શ્વાન રસીઓમાં નીચેની રસીઓનો સમાવેશ થાય છે:
કેનાઇન ડિસ્ટેમ્પર, એડેનોવાયરસ-2 (હેપેટાઇટિસ), પાર્વોવાયરસ અને પેરાઇન્ફ્લુએન્ઝા સામેની સંયુક્ત રસી સામાન્ય રીતે DA2PP, DHPP અથવા DAPP તરીકે ઓળખાય છે. આ એક જ રસી ચાર મહત્વના રોગોથી શ્વાનને સુરક્ષા આપે છે.
તે ઉપરાંત, રેબીઝ વાયરસની રસી દરેક શ્વાન માટે ફરજિયાત છે, કારણ કે રેબીઝ એક અત્યંત ઘાતક રોગ છે અને માનવોમાં પણ ફેલાઈ શકે છે.
લેપ્ટોસ્પાઇરા (લેપ્ટોસ્પાઇરોસિસ) રસી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણી વખત આ રસી DA2PP અથવા DAPP સાથે સંયોજનમાં આપવામાં આવે છે, જેને DHLPP રસી તરીકે ઓળખવામાં આવે છે.
જીવનશૈલી રસીઓને વૈકલ્પિક માનવામાં આવે છે, પરંતુ શ્વાનની જીવનશૈલી, રહેઠાણ અને દૈનિક પ્રવૃત્તિઓ અનુસાર તે ઘણી વખત જરૂરી બની જાય છે. આ રસીઓ અત્યંત ચેપી અથવા સંભવિત રીતે જીવલેણ રોગોથી શ્વાનને રક્ષણ આપે છે.
તમારા શ્વાન માટે કઈ જીવનશૈલીની રસીઓ યોગ્ય છે તે નક્કી કરવા માટે પશુવૈદ નીચેના પરિબળો પર ધ્યાન આપે છે..
જીવનશૈલી રસીઓમાં નીચેની રસીઓનો સમાવેશ થાય છે….
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.